બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક સંબંધિત કામ હોય તો સોમવારે જ પતાવી દેજો, નહીંતર આખું અઠવાડિયું રાહ જોવી પડશે!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / બેંક સંબંધિત કામ હોય તો સોમવારે જ પતાવી દેજો, નહીંતર આખું અઠવાડિયું રાહ જોવી પડશે!

Last Updated: 09:42 AM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આવતા અઠવાડિયે રક્ષાબંધન અને અન્ય તહેવારોને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. ચેક જમા કરાવવા અથવા શાખાના અન્ય જરૂરી કામોમાં મોડુ થઈ શકે છે. જો તમે રજાઓની યાદી ચેક કર્યા વિના બેંકમાં જશો, તો તમારે નિરાશ થઈને પાછા ફરવું પડશે.

1/5

photoStories-logo

1. બેંકનું મહત્વનું કામ પતાવી લેજો

જો તમારે આવતા અઠવાડિયે બેંકને લગતું કોઈ મહત્વનું કામ કરવાનું હોય, તો સોમવાર, 24 ઓગસ્ટનો દિવસ તમારા માટે ખૂબ મહત્વનો છે. આ દિવસે બેંકો ખુલ્લી રહેશે, પરંતુ 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાજ્યો અને શહેરોમાં રજાઓ રહેશે. તેથી, જો તમે બેંકની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવ, તો ઘરેથી નીકળતા પહેલા રજાઓની યાદી ચેક કરી લેવી. નહીંતર તમારે નિરાશ થઈને પાછા ફરવું પડશે. જોકે, રોકડ ઉપાડ અને ડિજિટલ વ્યવહારો માટે ATM અને નેટ બેંકિંગ જેવી સેવાઓ યથાવત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સોમવારે વધી શકે છે કામનું દબાણ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, તમામ જાહેર, ખાનગી, વિદેશી અને ગ્રામીણ બેંકો રવિવારે બંધ રહે છે. આ ઉપરાંત, મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકિંગ કામકાજ બંધ રહે છે. 22 ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર હતો અને આજે રવિવાર છે. પરિણામે, બેંકો સતત બે દિવસ બંધ રહેશે. આ સ્થિતિને જોતા, બે દિવસની રજા બાદ સોમવારે જ્યારે બેંકો ફરી ખુલશે ત્યારે ગ્રાહકોની ભારે ભીડ થવાની શક્યતા છે. સામાન્ય રીતે, સપ્તાહના અંતે આવતી રજાઓ પછી સોમવારે બેંકોમાં કામનું દબાણ વધુ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તહેવારોના કારણે ક્યા શહેરોમાં નહીં ખુલે બેંક

આવતા અઠવાડિયે, મંગળવારે (25 ઓગસ્ટ) કોચી અને તિરુવનંતપુરની બેંક શાખાઓ 'પ્રથમ ઓણમ', 'મિલાદ-ઉન-નબી' અને 'મિલાદ-એ-શરીફ'ના અવસરે બંધ રહેશે. ત્યારબાદ, 25 ઓગસ્ટે દિલ્હી, મુંબઈ, લખનઉ, પટના, રાંચી, રાયપુર, નાગપુર અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોમાં 'ઈદ-એ-મિલાદ' અથવા 'બારાવફાત' નિમિત્તે બેંક શાખાઓ બંધ રહેશે. આ રજાઓને કારણે બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર હોય તેવા કાર્યો પર અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રક્ષાબંધન પર ક્યા ક્યા બેંક બંધ રહેશે?

ઉત્તર ભારતમાં રક્ષાબંધનનો તહેવાર મોટા પાયે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર શુક્રવાર, 28 ઓગસ્ટના રોજ છે. કાનપુર, ભોપાલ, જયપુર અને અમદાવાદ જેવા શહેરોમાં આ દિવસે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત, અન્ય પ્રાદેશિક તહેવારોને કારણે કોચીમાં પણ રજા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. શનિવારે બેંક ખુલ્લી રહેશે, બીજા દિવસે રજા

રાહતની વાત એ છે કે, આ મહિનામાં શનિવાર, 29 ઓગસ્ટના રોજ બેંકો ખુલ્લી રહેશે. તેનું કારણ એ છે કે તે ઓગસ્ટ મહિનાનો પાંચમો શનિવાર છે અને RBIના નિયમો મુજબ માત્ર બીજા અને ચોથા શનિવારે જ રજા હોય છે. જોકે, તેના પછી તરત જ રવિવાર, 30 ઓગસ્ટ આવે છે, જે દિવસે દેશભરમાં બેંકો બંધ રહે છે. તેથી, કોઈપણ અસુવિધા ટાળવા માટે બેંકની મુલાકાત લેતા પહેલા તમારી સ્થાનિક શાખાની રજાઓની યાદી ચોક્કસથી ચેક કરી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

banks closed for 4 days Bank holidays in august next week bank closed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ