હજુ તો તાજેતરમાં જ ગુજરાતમાં ખેડા તાલુકાના અડાસર ગામે મસમોટું ધર્માંતરણનું રેકેટ ઝડપાયું હતું. ત્યારે એકવાર ફરી રાજ્યના બનાસકાંઠામાંથી ધર્મપરિવર્તનની ઘટના સામે આવી છે.
રૂપિયાની માંગણી કરતા પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
બનાસકાંઠાના ડીસાના માલગઢમાં એક પરિવારનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેથી પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા ઘરના મોભી વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે લવ જેહાદમાં યુવતીને ફસાવી પરિવારનું ધર્મ પરિવર્તન કરાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.
સમગ્ર ઘટના કંઇક એવી છે કે, ઘટના કંઈક આવી છે, વિધર્મી યુવકે માલગઢની એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. વિધર્મી યુવકે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી તમામ લોકોને અલગ રહેવા લઈ ગયો હતો. યુવતીના માતા અને ભાઈનું બ્રેઇનવોશ કરીને તેમના જ ઘરે તે નમાજ પઢવા લાગ્યો હતો. જ્યારે પરિવારે યુવકને નમાજ પઢવાનું ના કહેતા તેને ધર્મ અંગીકાર કરવાની વાત કરી.
યુવતીને પ્રેમજાળમાં ફસાવી પિતા પાસેથી કરી હતી રૂ. 25 લાખની માંગ
માલગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી આ યુવકે યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કરાવ્યું. જેથી ધર્મ પરિવર્તન કરાવતા યુવતીના માતા અને પુત્ર ઘરમાં જ નમાજ પઢવા લાગ્યા. બાદમાં યુવતીના તેના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન કરી ત્રણેયને અલગ રહેવા માટે પિતા પાસે રૂ. 25 લાખની માંગણી કરી હતી. આથી, યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ પોલીસ મથકે ધર્મ પરિવર્તન કરાવનારા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
પરિવારમાં આ રીતે ધર્મ પરિવર્તનની ઘટનાને જોતા પિતાને ખૂબ દુ:ખ લાગી આવ્યું હતું અને તેઓની લાગણી ઘવાતા પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ધર્મ પરિવર્તન કરાવનારા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
સળગતા સવાલ
લવ જેહાદનો કાયદો બન્યા બાદ પણ કેમ ધર્મપરિવર્તની ઘટના સામે આવે છે?