બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / badrinath dham kapat uttarakhand opened today for devotees
Dhruv
Last Updated: 09:14 AM, 8 May 2022
ચાર ધામમાંનું એક ધામ એટલે બદ્રીનાથ ધામ કે જેના દરવાજા રવિવારે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 3જી મેના રોજ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારે ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની સંખ્યા પણ નક્કી કરી દીધી છે. એક દિવસમાં માત્ર 15,000 ભક્તો જ ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકશે. ત્યારે રવિવારના રોજ સાંજના 6:15 કલાકે ધાર્મિક વિધિ, મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની ધૂન સાથે ભક્તો માટે બદ્રીનાથ ધામના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, બદ્રીનાથ ધામમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજર છે.
#WATCH | Uttarakhand: The doors of Badrinath Dham opened for devotees with rituals and chanting and the tunes of army band with a large number of devotees present in Badrinath Dham. pic.twitter.com/LiCTexcbJu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 8, 2022
ધામ ખોલવા માટે આદિ શંકરાચાર્યના સિંહાસન અને ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીની મૂર્તિને તેલ કળશ (ગાડૂધડા) યાત્રાની સાથે જોશીમઠના નૃસિંહ મંદિરથી પોતાના આગલા પડાવ યોગ-ધ્યાન બદ્રી મંદિર પાંડુકેશ્વર પહોંચાડી દેવાઇ હતી.
જાણો કેટલાં ભક્તો બદ્રીનાથ ધામના દર્શન કરી શકશે?
ચાર ધામ યાત્રા (Chardham Yatra 2022) માં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે તેવું અનુમાન છે. એક દિવસમાં માત્ર 15 હજાર ભક્તો જ દર્શન કરી શકશે. દર્શન માટે પ્રવાસન વિભાગની વેબસાઇટ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ હતી.
સવારથી જ ભક્તો હાજર રહ્યાં હતા
જણાવી દઈએ કે, રાજ્ય સરકારે પહેલેથી જ નક્કી કર્યું હતું કે એક દિવસમાં માત્ર 12 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ અને 15 હજાર શ્રદ્ધાળુઓ બદ્રીનાથના દર્શન કરી શકશે. બદ્રીનાથ ધામમાં આજ સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા.
#WATCH Devotees sing and dance as the portals of Shri Badrinath Dham, Uttarakhand open today pic.twitter.com/E3eBLsCYUE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 8, 2022
જાણો કેવી રીતે કરાવી શકશો રજિસ્ટ્રેશન?
પર્યટન વિભાગ દ્વારા સંચાલિત પોર્ટલ https://registrationandtouristcare.uk.gov.in પર જઇને ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર દ્વારા મુસાફરોને રહેવા, ખાવા-પીવાની સુવિધા તેમજ પાર્કિંગની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, તમને જણાવી દઇએ કે, ભક્તોને આગમન પહેલાં રાજ્યના પોર્ટલ પર નોંધણી કરવાની વિશેષ સૂચના આપવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog