બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ayurveda tips to make bowel movement better article
Bijal Vyas
Last Updated: 11:14 PM, 19 January 2024
કબજિયાતના ઉપાયઃ શું તમે પણ તમારા ફોન સાથે ટોઇલેટ જવાનું પસંદ કરો છો? અત્યારના સમયે મોટાભાગના લોકોની આ આદત છે. તેઓ દરેક ટોઇલેટમાં અડધો કલાક વિતાવતા હોવાથી, તે ફોન સાથે રાખવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી ટોઇલેટમાં બેસીને પણ તેમનું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી અને તેના કારણે તેમને અન્ય બીમારીઓ ઘેરી લે છે.
જો તમે લાંબા સમય સુધી ટોયલેટમાં બેસો છો, તો તેનો અર્થ એ છે કે તમારી બાઉલ મૂવમેન્ટ સારી નથી. ક્રોનિક કબજિયાત, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, પાઇલ્સ જેવી ગંભીર બીમારીઓ તેનું કારણ બની શકે છે. મોટાભાગના લોકો તેની અવગણના કરે છે, પરંતુ તે ખરેખર એક સમસ્યા છે જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ. લાંબા સમય સુધી ટોયલેટમાં કેમ ન બેસવુ જોઇએ, સાથે આયુર્વેદની મદદથી કબજિયાતથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો, આવો તેનુ કારણ અને ઉપાય વિશે જાણીએ...
બાઉલ મૂવમેન્ટ કેમ જરુરી?
બાઉલ મૂવમેન્ટ્સ એટલે કે આંતરડાની ગતિવિધી જે તમારા શરીર દ્વારા કચરો બહાર કાઢે છે. તમારા પેટમાં ખરાબ બેક્ટેરિયા, ચરબી, ફાઇબર, ખોરાકનો કચરો લાળ અને વધારાનું મીઠું દૂર કરવામાં મદદ કરે છે. જો તમે લાંબા સમય સુધી ટોયલેટ જઈ શકતા નથી, તો તે આંતરડાને અસર કરી શકે છે. જેના કારણે ક્યારેક શરીરના અન્ય અંગોને પણ નુકસાન થઈ શકે છે. આ કારણે શૌચક્રિયા ખૂબ જ જરૂરી છે.
ટોયલેટમાં 5-10 મિનિટથી વધારે સમય ના વિતાવો
ડોક્ટરના મતે, "તમને ટોયલેટ જવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. વિના ડિસ્કમ્ફર્ટ માત્ર 5-10 મિનિટથી વધુ સમય ટોયલેટમાં વિતાવવો કોઇ સમસ્યા હોઇ શકે છે."
લાંબા સમય સુધી ટોયલેટમાં સમય વિતાવવાનું નુકસાન
જો તમે 10 મિનિટથી વધુ સમય સુધી ટોઇલેટ પર બેઠા હોય તો તેનો અર્થ એ છે કે તમારી આંતરડાની ગતિ સારી નથી. એટલું જ નહીં, લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારી રેક્ટલ વેન્સમાં લોહી એકઠું થવા લાગે છે. જ્યારે તમે જોર કરો છો, ત્યારે તે એનલમાં નસોના સંચયને કારણે પાઇલ્સની સમસ્યા થઇ શકે છે.
કબજિયાતને દૂર કરવા માટે શું કરવું ?
જો તમને કબજિયાત હોય અથવા તમે ટોયલેટમાં ઘણો સમય વિતાવતા હોય તો તેનો અર્થ છે કે તમારું શરીર હજુ સુધી ટોયલેટ જવા માટે તૈયાર નથી. તમે આ ટિપ્સ અજમાવો અને
કબજિયાતની સમસ્યા દૂર કરો-
હૂંફાળુ પાણી પીઓ
પૂરતું પાણી પીઓ અને સવારે ઊઠીને સૌથી પહેલાં હુંફાળું પાણી પીવો. આ તમને પેટ સાફ કરવામાં સારી રીતે મદદ કરશે.
ફ્રૂટ્સ, નટ્સ અને ગ્રીન વેજિટેબલ્સનું સેવન કરો
ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. આ સ્ટૂલને પસાર થવામાં મદદ કરે છે. આ આંતરડાની ગતિને ઉત્તેજિત કરે છે, જેનાથી તમને કબજિયાતનો અનુભવ થતો નથી. તમારા આહારમાં ફળો, બદામ-બીજ, લીલા શાકભાજી અને આખા અનાજ જેવી વસ્તુઓનું સેવન કરો. તમારા આહારમાં ઘી જેવા હેલ્દી ફેટને પણ સામેલ કરો.
ઇરિટેટિંગ ફૂડ્સ ખાવાથી બચો
આપણે કબજિયાતનો અનુભવ ત્યારે કરીએ છીએ જ્યારે જ્યારે આપણે આંતરડાને અનુકુળ ના હોય તેવી ખાદ્ય વસ્તુઓ ખાઈએ છીએ. ચા, કોફી અને સોડા જેવા કેફીનયુક્ત પીણાંનો વપરાશ ઓછો કરો. ચરબીયુક્ત અને તળેલા ખોરાક ખાવાનું ટાળો. મસાલેદાર ખોરાક અને આલ્કોહોલિક પીણાં લેવાથી બચવુ જોઈએ.
ફિઝિકલ એક્ટિવિટી કરો
જો તમે શારીરિક પ્રવૃત્તિ ન કરો તો પણ તે સમસ્યાનું કારણ બની શકે છે. ચાલવું, દોડવું અને તરવું જેવી પ્રવૃત્તિઓ તમારી ગતિને પ્રોત્સાહન આપે છે. તે સ્ટૂલ પસાર કરવામાં મદદ કરે છે. તમારે તમારા સમયમાંથી 20-30 મિનિટ કાઢીને આ પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
આ ઉપરાંત ટોયલેટ પોશ્ચરમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. તમારા પગનો એંગલને બદલવાથી તમારા કોલોનના એંગલમાં પણ અસર થાય છે. આ ઉપરાંત તમે તમારા માટે ટોયલેટ ફૂટસ્ટૂલ પણ રાખી શકો છો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP