બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / Ayodhya Ram Mandir shubh muhurat 84 seconds rashi upaay hanuman chalisa

ઉપાય / અયોધ્યા રામ મંદિર: આજે તમારી રાશિ પ્રમાણે કરો આ કામ, પ્રસન્ન થઈ જશે શ્રીરામ

Published By: Vaidehi

Last Updated: 09:28 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાગ અનુસાર આજ રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 84 સેકેન્ડનો શુભ મુહૂર્ત છે. આજનાં દિવસે રાશિ અનુસાર શું ઉપાય કરવા જોઈએ?

  • આજે રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્વ
  • માત્ર 84 સેકેન્ડનો શુભ મુહૂર્ત
  • આ સમયમાં રાશિ અનુસાર ચોપાઈ ગાવી લાભકારી

આજે 22 જાન્યુઆરીનાં શુભ અવસર પર આપણે સૌ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવા જઈ રહ્યાં છીએ. આજે દ્વાદશી તિથિ, અભિજીત મુહૂર્ત તેમજ ઈંદ્રિયોગ, મૃગશિરા નક્ષત્ર અને મેષ લગ્ન તેમજ વૃશ્ચિક નવાંશમાં રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ મુહૂર્ત રાખવામાં આવ્યો છે. આ સમયે મેષ લગ્ન થશે અને બૃહસ્પતિ દેવ લગ્નમાં વિરાજમાન થશે. આજનાં આ શુભ મુહૂર્તમાં વિવિધ રાશિનાં જાતકોએ લાભ માટે શું-શું ઉપાય કરવા જોઈએ? આવો જાણીએ.

શુભ મુહૂર્ત
મેષ લગ્નમાં બૃહસ્પતિ દેવ 12.29થી લઈને 12.45 સુધી વિરાજમાન રહેશે. પણ શુભ મુહૂર્ત દિવસનાં 12.29 8 સેકેન્ડથી લઈને 12.30- 32 સેકેન્ડ સુધી રહેશે. આ શુભ મુહૂર્ત 84 સેકેન્ડનો રહેશે. જો આ શુભ મુહૂર્તમાં કોઈ બાળક જન્મ લે છે તો તે 
અત્યંત મેઘાવી અને તેજ રહેશે.

આ 84 સેકેન્ડમાં શું કરવું?
આ 84 સેકન્ડમાં ચંદ્ર રાશિ અથવા જન્મ રાશિ અનુસાર લોકોએ હનુમાન ચાલીસાની કેટલીક ચોપાઈઓ ગાવી જોઈએ. જો સ્પીડમાં તમે આખી હનુમાન ચાલીસા આ સમયમાં ગાઈ શકતા હોય તો ઉત્તમ. પણ જો એવું શક્ય ન હોય તો રાશિ અનુસાર ચાલીસાની આ ચોપાઈ વાંચવી જોઈએ.

મેષ
महावीर विक्रम बजरंगी 
कुमति निवार सुमति के संगी

વૃષભ
शंकर सुवन केसरीनंदन
तेज प्रताप महा जग बंदन 

મિથુન
सूक्ष्म रूप धरि सियहिं दिखावा
विकट रूप धरि लंक जरावा

કર્ક
रघुपति कीन्ही बहुत बढ़ाई
तुम मम प्रिय भरतहि सम भाई

સિંહ
सहस बदन तुम्हरो ज़स गांवै
अस कहि श्रीपति कंठ लगावैं

કન્યા
जुग सहस्त्र जोजन पर भानु
लील्यो ताहि मधुर फल जानू

તુલા
प्रभु मुद्रिका मेलि मुख माहीं
जलधि लांघि गये अचरज नाहीं

વૃશ્ચિક
सब सुख लहि तुम्हारी सरना
तुम रच्क्षक काहू को डर ना

ધનુ
सब पर राम तपस्वी राजा
तिनके काज सकल तुम साजा

મકર
संकट ते हनुमान छुड़ावै
मन क्रम बचन ध्यान जो लावै

કુંભ
और मनोरथ जो कोई लावै 
सोई अमित जीवन फल पावै

મીન
संकट कटै मिटै सब पीरा
जो सुमिरै हनुमत बलबीरा

વધુ વાંચો: નીરવ શાંત વાતાવરણમાં મહાદેવની હાજરીનો અહેસાસ, ગુજરાતની એવી પવિત્ર જગ્યા જ્યાં સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ ઉર્જા ભરી દેશે

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Rashi Shubh muhurat અયોધ્યા રામમંદિર રાશિ શુભ મુહૂર્ત Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ