બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Priyakant
Last Updated: 11:49 AM, 9 February 2024
Haldwani Violence : ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ પ્રશાસનની ટીમ પર બદમાશોએ કરેલા હુમલામાં બે લોકોના મોત થયા હતા. બાનભૂલપુરામાં આ હિંસા બાદ ત્યાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આ હિંસા બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન નૈનીતાલના DM વંદના સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. DM વંદના સિંહે કહ્યું કે, પોલીસ ટીમ પર ષડયંત્રના ભાગરૂપે હુમલો કરવામાં આવ્યો છે.
જાણો DM વંદના સિંહે જણાવ્યું શું-શું થયું ?
DM વંદના સિંહે કહ્યું, ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસ સ્ટેશનની અંદર હાજર લોકોને બહાર આવવા દેવામાં આવ્યા ન હતા. તેમના પર પહેલા પથ્થરમારો કરવામાં આવ્યો અને પછી પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. પોલીસ સ્ટેશનની બહાર વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને ધુમાડાના કારણે લોકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા.પોલીસ સ્ટેશનની જ સુરક્ષા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાણભૂલપુરામાં હિંસા બાદ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 100થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે.
#WATCH | Haldwani violence | DM Nainital, Vandana Singh says, "Maximum force was used for the protest of the police station...As soon as they (the mob) were dispersed from the police station, they headed to the Gandhi Nagar area...People from all communities and religions stay… pic.twitter.com/fzHM2vwyMn
— ANI (@ANI) February 9, 2024
કોઈ ધાર્મિક સ્થળ નથી પરંતુ સરકારી રેકોર્ડમાં તે વન વિભાગની જમીન: DM
મીડિયા સાથે વાત કરતા DM વંદના સિંહે કહ્યું કે, જે જમીન ખાલી કરવામાં આવી છે તે કોઈ ધાર્મિક સ્થળ નથી પરંતુ સરકારી રેકોર્ડમાં તે વન વિભાગની જમીન છે જે અમે ખાલી કરાવી છે. જે માળખું તોડી પાડવામાં આવ્યું હતું તે મદરેસાના નામે નોંધાયેલ ન હતું. તેમણે કહ્યું કે, પરંતુ એક કાવતરાના ભાગરૂપે પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો અને હુમલાનું લાંબુ પ્લાનિંગ કરવામાં આવ્યું જે અંતર્ગત પથ્થરો એકઠા કરવામાં આવ્યા, પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવ્યા અને પછી હુમલો કરવામાં આવ્યો. DM વંદના સિંહે જણાવ્યું કે, પોલીસ સ્ટેશન પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. સીસીટીવી દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
પેટ્રોલ બોમ્બ લઈ પહોંચી ભીડ અને પછી.....
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન DMએ કેટલાક વીડિયો બતાવ્યા અને કહ્યું કે, પોલીસ પ્રશાસનની ટીમ પર કોઈ કારણ વગર હુમલો કરવામાં આવ્યો. DM વંદના સિંહે કહ્યું, અતિક્રમણ હટાવવાનું ઓપરેશન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે દળો તૈનાત કરવામાં આવ્યા. પહેલા અમારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જે દિવસે અતિક્રમણ વિરોધી અભિયાન હાથ ધરવામાં આવશે તે દિવસે હુમલો કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પથ્થરમારો કરનાર પ્રથમ ટોળું વિખેરાઈ ગયું હતું અને બીજું ટોળું પેટ્રોલ બોમ્બ સાથે આવી પહોંચ્યું હતું. અમારી ટીમે કોઈ બળનો ઉપયોગ કર્યો નથી.
કોર્ટે કર્યો હતો આદેશ
DMએ કહ્યું, હાઈકોર્ટના આદેશ બાદ હલ્દવાનીમાં ઘણી જગ્યાઓ પર અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. દરેકને નોટિસ અને સુનાવણી માટે સમય આપવામાં આવ્યો હતો. કોઈએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, કેટલાકને સમય આપવામાં આવ્યો હતો, જ્યારે કેટલાકને સમય આપવામાં આવ્યો ન હતો. જ્યાં સમય આપવામાં આવ્યો ન હતો ત્યાં PWD અને મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ એક અલગ પ્રવૃત્તિ ન હતી અને કોઈ ચોક્કસ સંપત્તિને લક્ષ્યાંકિત કરવામાં આવી ન હતી.
હલ્દવાનીમાં શાળાઓ બંધ-ઈન્ટરનેટ સ્થગિત
નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદનાએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હલ્દવાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જ્યારે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે, અને આ વિસ્તારમાં શાળાઓ બંધ રાખવાના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ તાત્કાલિક કામ (મેડિકલ વગેરે) સિવાય ઘરની બહાર નીકળશે નહીં. અસામાજિક તત્વો તેના દ્વારા અફવા ન ફેલાવે તે માટે જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે આ આદેશ સરકારી કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને સશસ્ત્ર દળોને લાગુ પડશે નહીં. તાત્કાલિક કામ માટે, હલ્દવાનીના સિટી મેજિસ્ટ્રેટની પરવાનગીથી જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો સામે IPCની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
दंगाइयों और उपद्रवियों के विरुद्ध करेंगे कठोरतम कार्रवाई
— Pushkar Singh Dhami (@pushkardhami) February 9, 2024
हल्द्वानी के बनभूलपुरा में हुई घटना के संबंध में शासकीय आवास पर अधिकारियों के साथ उच्चस्तरीय बैठक कर वर्तमान स्थिति की समीक्षा की।
पुलिस को अराजक तत्वों से सख़्ती से निपटने के स्पष्ट निर्देश दिए हैं। आगजनी पथराव करने… pic.twitter.com/e5VdmR7y0o
તોફાનીઓ અને બદમાશો સામે કરશું કડક કાર્યવાહી: મુખ્યમંત્રી
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું, અમે તોફાનીઓ અને બદમાશો સામે કડક કાર્યવાહી કરીશું.હલ્દવાનીના બાણભૂલપુરામાં બનેલી ઘટના સંદર્ભે સરકારી આવાસ પર અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આગચંપી અને પથ્થરમારો કરનાર દરેક તોફાનીની ઓળખ કરવામાં આવી રહી છે, સૌહાર્દ અને શાંતિને ખલેલ પહોંચાડનાર કોઈપણ બદમાશોને બક્ષવામાં આવશે નહીં. હલ્દવાનીના આદરણીય લોકોને શાંતિ જાળવવામાં પોલીસ-પ્રશાસનને સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect