બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 100 વર્ષ પછી 7 સપ્ટેમ્બરે દુર્લભ ચંદ્રગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું

ચંદ્રગ્રહણ 2025 / 100 વર્ષ પછી 7 સપ્ટેમ્બરે દુર્લભ ચંદ્રગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું

Last Updated: 12:49 AM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતા રવિવાર, 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું બીજું અને અત્યંત દુર્લભ પૂર્ણ ચંદ્ર ગ્રહણ લાગશે. જ્યોતિષાચાર્યોના મત મુજબ આ ગ્રહણ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે.

આવતા રવિવાર, 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું બીજું અને અત્યંત દુર્લભ પૂર્ણ ચંદ્ર ગ્રહણ લાગશે. જ્યોતિષાચાર્યોના મત મુજબ આ ગ્રહણ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ પિતૃ પક્ષ દરમિયાન આવી રહ્યું છે, જે પૂર્વજોને અર્પણ અને સ્મરણ કરવાનો મહત્વપૂર્ણ સમયગાળો ગણાય છે.

Lunar eclipse (2)

વિજ્ઞાનની દૃષ્ટિએ, ચંદ્ર ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને ચંદ્ર સુધી સૂર્યપ્રકાશ પહોંચતો અટકી જાય છે. આ સમયે ચંદ્ર લાલ રંગનો એટલે કે બ્લડ મૂન જેવા રૂપમાં દેખાય છે.

Lunar Eclips (2)

ગ્રહણનો સમય

ચંદ્ર ગ્રહણ શરૂ : રાત્રે 9:58 વાગ્યે (7 સપ્ટેમ્બર)

પૂરેપૂરું ગ્રહણ (બ્લડ મૂન) : રાત્રે 11:00 થી 12:22 સુધી

ગ્રહણ સમાપ્ત : રાત્રે 1:26 વાગ્યે (8 સપ્ટેમ્બર)

સૂતક સમય: ગ્રહણ શરૂ થવા પહેલા લગભગ 9 કલાકથી લાગુ પડશે.

Lunar eclipse

ધાર્મિક પરંપરાઓ મુજબ

ગ્રહણ દરમ્યાન કોઈપણ શુભ કાર્ય કરવો મનાઈ છે. મંદિરોના કપાટ બંધ રાખવામાં આવશે અને ગ્રહણ પછી શુદ્ધિકરણ વિધિ કરવામાં આવશે. આ સમયમાં નકારાત્મક ઊર્જાઓ સક્રિય રહે છે, તેથી મંત્ર જાપ કરવો અત્યંત લાભદાયી માનવામાં આવે છે. ખાસ કરીને મહામૃત્યુન્જય મંત્ર અને ગાયત્રી મંત્રના જાપનો ફળ 1000 ગણો વધે છે એવું માનવામાં આવે છે.

ગ્રહણ દરમ્યાન શું ન કરવું?

કોઈપણ પ્રકારનું ભોજન ન કરવું. જો ભોજન પકાવેલું હોય તો તેમાં તુલસીના પાન મૂકવાથી તે શુદ્ધ રહે છે એવું માનવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન બહાર ન જવું, ઊંઘવું નહીં અને નુકીલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો. ગ્રહણને સીધું જોવાનું ટાળવું જોઈએ.

ગ્રહણ બાદ શું કરવું?

  • ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું.
  • નવા અથવા ધોવાયેલા સ્વચ્છ કપડાં પહેરવા.
  • ઘરની સફાઈ સાથે મંદિરમાં ભગવાનને અર્પણ કરવું.
  • જરૂરિયાતમંદોને દાન આપવું.

વધુ વાંચો : એક વર્ષ બાદ સિંહ રાશિમાં બનશે બુધાદિત્ય યોગ, જે આ જાતકો પર કરશે ધનનો વરસાદ

આ રીતે 7 સપ્ટેમ્બરનું ચંદ્ર ગ્રહણ માત્ર આકાશીય ઘટના જ નહીં પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિએ પણ એક અનોખું અને દુર્લભ સંયોગ છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lunar Eclipse 2025 LunarEclipse MoonLunarEclipse2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ