બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Politics / Asaduddin Owaisi's inflammatory statement before the inauguration of Ram Mandir

નિવેદન / 'નવયુવાનો તમારી તાકાતને જાળવી રાખજો, નહીં તો એવું ના થાય...', રામમંદિરના ઉદ્ઘાટન પહેલા અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન

Priyakant

Last Updated: 10:10 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને કહ્યું, આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી અને તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. યુવાનો આ જોઈને તમારા હૃદયને દુઃખ નથી થતું?

  • રામમંદિરના ઉદ્ઘાટન પહેલા અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન
  • અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને કેન્દ્રની ગતિવિધિઓથી સાવધ રહેવા કહ્યું 
  • આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી અને તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે: ઔવેસી 
  • યુવાનો આ જોઈને તમારા હૃદયને દુઃખ નથી થતું? : અસદુદ્દીન ઓવૈસી

Ayodhya Ram Mandir : રામમંદિરના ઉદ્ઘાટન પહેલા અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને કેન્દ્રની ગતિવિધિઓથી સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, મસ્જિદો પર કબજો રાખવાની જરૂર છે. હૈદરાબાદના ભવાનીનગરમાં એક જનસભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું, યુવાઓ, મસ્જિદોને આબાદ રાખો. આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી અને તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. યુવાનો આ જોઈને તમારા હૃદયને દુઃખ નથી થતું? જ્યાં આપણે 500 વર્ષથી નમાઝ અદા કરી હતી તે જગ્યા આજે આપણા હાથમાં નથી.

શું કહ્યું અસદુદ્દીન ઓવૈસીએ ? 
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'યુવાનો, શું તમે નથી જોતા કે આવી 3-4 વધુ મસ્જિદો છે, તેમાંથી દિલ્હીની ગોલ્ડન મસ્જિદ છે.' તેમણે કહ્યું કે, શક્તિઓ તમારા હૃદયમાંથી ઈતિહાસ દૂર કરવા માંગે છે. વર્ષોની મહેનત બાદ આજે અમે અમારું પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. તમારે આના પર ધ્યાન આપવું પડશે અને તમારી તાકાત જાળવી રાખવી પડશે. ઓવૈસીએ કહ્યું, યુવાઓ, મસ્જિદોને આબાદ રાખો. એવું ન બને કે આપણી પાસેથી મસ્જિદો છીનવાઈ જાય. હું આશા રાખું છું કે, આજના યુવાનો પોતાના પરિવાર, મહોલ્લા અને પરિવારને કેવી રીતે બચાવી શકાય તે વિશે ચોક્કસપણે વિચારશે. યાદ રાખો કે એકતા એ શક્તિ છે અને એકતા એ આશીર્વાદ છે. 

વધુ વાંચો: અયોધ્યામાં ત્રણમાંથી અરુણ યોગીરાજની રામલલાની મૂર્તિ જ કેમ પસંદ કરાઇ? શું છે હનુમાન દાદા સાથેનું કનેક્શન?

BJPના અમિત માલવિયાએ શું કહ્યું ? 
આ તરફ હવે BJPના આઈટી સેલના વડા અમિત માલવીયાનું મોટું નિવેદન આપ્યું છે. અમિત માલવિયાએ અસદુદ્દીન ઓવૈસીના નિવેદનને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, હૈદરાબાદના સાંસદ તે કરી રહ્યા છે જેમાં તેઓ શ્રેષ્ઠ છે. રામ મંદિરના પવિત્રીકરણને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. ઓવૈસીએ પોતાના ભાષણની વીડિયો ક્લિપ સોશિયલ નેટવર્કિંગ સાઈટ X પર પોસ્ટ કરી છે. તેના જવાબમાં માલવિયાએ લખ્યું, '2020માં સચિવાલય બનાવવા માટે હૈદરાબાદમાં 2 મસ્જિદ (મસ્જિદ-એ-મોહમ્મદી અને મસ્જિદ-એ-હાશ્મી) તોડી પાડવામાં આવી હતી. ઓવૈસી આ શહેરમાંથી લોકસભાના સભ્ય છે અને તેમણે આ અંગે કશું કહ્યું નથી. છેવટે, ત્યારે તમને મસ્જિદો યાદ ન હતી?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ