બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / ભારત / Politics / Asaduddin Owaisi's inflammatory statement before the inauguration of Ram Mandir
Priyakant
Last Updated: 10:10 AM, 2 January 2024
Ayodhya Ram Mandir : રામમંદિરના ઉદ્ઘાટન પહેલા અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને કેન્દ્રની ગતિવિધિઓથી સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, મસ્જિદો પર કબજો રાખવાની જરૂર છે. હૈદરાબાદના ભવાનીનગરમાં એક જનસભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું, યુવાઓ, મસ્જિદોને આબાદ રાખો. આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી અને તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. યુવાનો આ જોઈને તમારા હૃદયને દુઃખ નથી થતું? જ્યાં આપણે 500 વર્ષથી નમાઝ અદા કરી હતી તે જગ્યા આજે આપણા હાથમાં નથી.
Naujawano'n!! apni milli hamiyyat aur taqat ko barqaraar aur Masjido'n ko abaad rakho.
— Asaduddin Owaisi (@asadowaisi) January 1, 2024
Kaheen aisa na ho ke hamari Masjidein cheen li jaye.pic.twitter.com/dPGDzI9mHu
શું કહ્યું અસદુદ્દીન ઓવૈસીએ ?
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'યુવાનો, શું તમે નથી જોતા કે આવી 3-4 વધુ મસ્જિદો છે, તેમાંથી દિલ્હીની ગોલ્ડન મસ્જિદ છે.' તેમણે કહ્યું કે, શક્તિઓ તમારા હૃદયમાંથી ઈતિહાસ દૂર કરવા માંગે છે. વર્ષોની મહેનત બાદ આજે અમે અમારું પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. તમારે આના પર ધ્યાન આપવું પડશે અને તમારી તાકાત જાળવી રાખવી પડશે. ઓવૈસીએ કહ્યું, યુવાઓ, મસ્જિદોને આબાદ રાખો. એવું ન બને કે આપણી પાસેથી મસ્જિદો છીનવાઈ જાય. હું આશા રાખું છું કે, આજના યુવાનો પોતાના પરિવાર, મહોલ્લા અને પરિવારને કેવી રીતે બચાવી શકાય તે વિશે ચોક્કસપણે વિચારશે. યાદ રાખો કે એકતા એ શક્તિ છે અને એકતા એ આશીર્વાદ છે.
Asaduddin Owaisi is doing what he does best, communalising the consecration of Ram Mandir.
— Amit Malviya (@amitmalviya) January 1, 2024
In 2020, two Mosques in Hyderabad, Masjid-e-Mohammadi and Masjid-e-Hashmi were demolished to build the Secretariat but Owaisi, who is Member of Parliament from the city, didn’t utter a… https://t.co/I0j8c8hbjH
BJPના અમિત માલવિયાએ શું કહ્યું ?
આ તરફ હવે BJPના આઈટી સેલના વડા અમિત માલવીયાનું મોટું નિવેદન આપ્યું છે. અમિત માલવિયાએ અસદુદ્દીન ઓવૈસીના નિવેદનને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, હૈદરાબાદના સાંસદ તે કરી રહ્યા છે જેમાં તેઓ શ્રેષ્ઠ છે. રામ મંદિરના પવિત્રીકરણને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. ઓવૈસીએ પોતાના ભાષણની વીડિયો ક્લિપ સોશિયલ નેટવર્કિંગ સાઈટ X પર પોસ્ટ કરી છે. તેના જવાબમાં માલવિયાએ લખ્યું, '2020માં સચિવાલય બનાવવા માટે હૈદરાબાદમાં 2 મસ્જિદ (મસ્જિદ-એ-મોહમ્મદી અને મસ્જિદ-એ-હાશ્મી) તોડી પાડવામાં આવી હતી. ઓવૈસી આ શહેરમાંથી લોકસભાના સભ્ય છે અને તેમણે આ અંગે કશું કહ્યું નથી. છેવટે, ત્યારે તમને મસ્જિદો યાદ ન હતી?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime