બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Why was Arun Yogiraj's Ramlala statue chosen out of three in Ayodhya? What is Hanuman's connection with Dada?

કર્ણાટક / અયોધ્યામાં ત્રણમાંથી અરુણ યોગીરાજની રામલલાની મૂર્તિ જ કેમ પસંદ કરાઇ? શું છે હનુમાન દાદા સાથેનું કનેક્શન?

Last Updated: 08:21 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી શેર કરતાં કહ્યું, ' 'જ્યાં રામ ત્યાં હનુમાન... '

  • રામ મંદિર માટે રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે. 
  • કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલ પ્રતિમા પસંદ કરવામાં આવી. 
  • 'રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ વધુ એક ઉદાહરણ છે. 

અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિર માટે રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે. રામ મંદિર માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી હતી. જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. મંદિર માટે કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલ પ્રતિમા પસંદ કરવામાં આવી છે. 

 'જ્યાં રામ ત્યાં હનુમાન... '
અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. 'જ્યાં રામ ત્યાં હનુમાન... ' કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કરોડો હિન્દુઓને અયોધ્યા રામ મંદિર વિશે મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું કે, 'ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા કોતરેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.'

વાંચવા જેવુ: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય સીતા માતાની પ્રતિમા, માત્ર બિરાજશે રામલલ્લા, કારણ ચોંકાવનારું

'રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ વધુ એક ઉદાહરણ'
આ વિશે માહિતી આપતા આગળ એમને કહ્યું કે, 'રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ વધુ એક ઉદાહરણ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ, કર્ણાટક રામલલા માટે એક મહત્વપૂર્ણ સેવા છે.' તો નીજી તરફ યેદિયુરપ્પાએ કહ્યું કે 'કર્ણાટકનો ભગવાન રામ સાથે ઊંડો સંબંધ છે કારણ કે કિષ્કિંધા આ રાજ્યમાં આવેલું છે. તે કિષ્કિંધા છે જ્યાં રામના મહાન ભક્ત હનુમાનનો જન્મ થયો હતો.'

યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક કરશે. આ એક એવો પ્રસંગ હશે જે સમગ્ર દેશ માટે ખાસ હશે. કર્ણાટક માટે આ ખૂબ જ ખાસ છે કારણ કે મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિને અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરમાં અભિષેક માટે પસંદ કરવામાં આવી છે.'
 

સંકળાયેલા મુદ્દાઓ

Arun Yogiraj's Ramlala statue Ayodhya ram mandir ram mandir ayodhya અરુણ યોગીરાજ રામલલાની મૂર્તિ શિલ્પકાર અરુણ યોગીરાજ Ayodhya ram mandir
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ