બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

VTV / ગુજરાત / અમદાવાદ / ધોરણ-12 પછી શું કરવું? નવા કોર્સિસ તેમજ આ પ્રોફેશનની ભારે ડિમાન્ડ, નિષ્ણાંતની સોનેરી સલાહ

માર્ગદર્શન / ધોરણ-12 પછી શું કરવું? નવા કોર્સિસ તેમજ આ પ્રોફેશનની ભારે ડિમાન્ડ, નિષ્ણાંતની સોનેરી સલાહ

Last Updated: 01:05 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 12 પછી પરંપરાગત સ્થાપિત અભ્યાસક્રમને બદલે વિદ્યાર્થીની રસ-રુચિ પ્રમાણેના અભ્યાસક્રમમાં એડમિશન મળે અને એમા તેની શક્તિ ખીલે એ જરૂરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024 માં લેવાયેલ ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું હતું. ત્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

હવે કારકિર્દીનું શું. અન્ય રાજ્યમાં સામાન્ય રીતે એવો ટ્રેન્ડ ચાલે છે કે હાઈસ્કૂલમાં વિદ્યાર્થી આવે અને ખાસ કરીને ધોરણ 12 પછી જે તે વિદ્યાર્થી સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરતો હોય, ગુજરાતમાં એવો ટ્રેન્ડ સમયની સાથે હજુ જોઈએ એટલો પ્રચલિત થયો નથી. ગુજરાતમાં હજુ ધોરણ 12 પછી જે સ્થાપિત અભ્યાસક્રમ છે તેમાં જવાનું વલણ વધુ રહ્યું છે. હવે આગામી સમયમાં શિક્ષણનીતિમાં પણ ફેરફાર અમલી બનશે, નવા સ્ટાર્ટઅપ વિકસી રહ્યા છે, ટેકનોલોજીમાં પણ અનેક ફેરફાર થઈ રહ્યા છે એટલે અભ્યાસક્રમમાં પણ વૈવિધ્ય આવવું સ્વભાવિક છે. ધોરણ 12 પછી પરંપરાગત સ્થાપિત અભ્યાસક્રમને બદલે વિદ્યાર્થીની રસ-રુચિ પ્રમાણેના અભ્યાસક્રમમાં એડમિશન મળે અને એમા તેની શક્તિ ખીલે એ કેટલું જરૂરી છે. ગુજરાતમાં મેડિકલ-એન્જિનિયરિંગ સિવાયના કયા અભ્યાસક્રમ છે જેના પર દ્રષ્ટિ કરવાની જરૂર છે. આર્ટસ અને કોમર્સ પછી અભ્યાસક્રમના કયા-કયા વિકલ્પ વિકસ્યા છે. એવા કયા અભ્યાસક્રમ છે જેમાં કૌશલ્ય કેળવાય અને નોકરીમાં પણ મદદરૂપ બને.

કોર્સની પસંદગીમાં શું ધ્યાન રાખવું?

વિદ્યાર્થીઓએ પોતાની આવડતને ઓળખવી જરૂરી છે તેમજ આવડત અને ક્ષમતા પ્રમાણે કોર્સની પસંદગી કરવી અને મિત્રો કે અન્ય જૂથ જે કોર્સ પસંદ કરે તેનો મોહ રાખવો જરૂરી નથી તેમજ કોર્સ એવો પસંદ કરવો જે ભવિષ્યની ડિમાન્ડ તરીકે પ્રસ્થાપિત થયા હોય અને આજે જે કોર્સ પસંદ કરીએ તે આવતીકાલે પ્રસ્તુત ન પણ હોય શકે. તમારા પરિણામ કરતા તમારી આવડતને વધુ મહત્વ આપો અને કૌશલ્યને ઓળખીને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે નક્કી કરો.

કયા પ્રોફેશનલ અભ્યાસક્રમની ડિમાન્ડ?

C.A.

C.S.

C.M.A.

C.F.A.

C.I.M.A.

A.C.C.A.

C.F.P.

C.P.A.

A.S

વધુ વાંચોઃ ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે ખર્ચ વધશે, સ્ટુડન્ટ વિઝા માટેની બચત રકમમાં બીજી વખત થયો વધારો

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું?

ક્યા અભ્યાસક્રમ પર આપવું ધ્યાન?

B.Ed

LLB

બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ

બેચલર ઓફ ફિઝીકલ એજ્યુકેશન

બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝ

બેચલર ઓફ ફાઈન આર્ટસ

બેચલર ઓફ મેનેજમેન્ટ સાયન્સ

સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર

બેચલર ઓફ સોશિયલ વર્ક

BBA, MBA

બેચલર ઓફ રુરલ સ્ટડીઝ

હોટલ મેનેજમેન્ટ

જનરલ નર્સિંગ

હોમ સાયન્સ

ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા

સિવિલ સર્વિસીસની તૈયારી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ