બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Dinesh
Last Updated: 08:56 PM, 22 March 2024
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ ગુરૂવારે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ હાથ ધરી હતી ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી, EDએ કેજરીવાલની ધરપકડના કારણોને સમજાવતા કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી. EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે આરોપી (કેજરીવાલ)ની ગુરુવારે રાત્રે 9.05 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેમને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યારે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Court sends Kejriwal to ED custody till March 28, probe agency alleges Delhi CM is 'liquor scam kingpin'
— ANI Digital (@ani_digital) March 22, 2024
Read @ANI Story | https://t.co/gemNv4fZiq#Delhi #CMKejriwal #EDcustody #LiquorPolicyScam pic.twitter.com/MbPzHAMm7a
EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે કોર્ટ સમક્ષ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જ્યારે કોર્ટે 6 દિવસના એટલે કે, 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે
Delhi Chief Minister Arvind Kejriwal sent to ED custody till March 28 by court
— ANI (@ANI) March 22, 2024
AAP leader & Delhi Minister Atishi says, "BJP wants to contest elections from behind the ED... Is ED a part of the BJP that the party is issuing their press release. To date, no proceeds of crime have… pic.twitter.com/JcMPaxNuJw
કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીની જાહેરાત પછી તરત જ કેજરીવાલની ધરપકડ એ દર્શાવે છે કે પીએમ મોદી તેમનાથી ડરે છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડને લોકશાહીની હત્યા ગણાવી હતી. આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપ વિરુદ્ધ લડાઈ ચાલુ રાખશે, અમે તેમની વિરુદ્ધ રસ્તા પર ઉતરીશું.
કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે
કોર્ટમાંથી 6 દિવસના ED રિમાન્ડ મળ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હું રાજીનામું નહીં આપીશ. હું સ્વસ્થ છું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ.
જાણો શું કહ્યું EDએ ?
EDએ કહ્યું કે, રોકડ બે વખત ટ્રાન્સફર કરવામાં આવી હતી. દારૂ કૌભાંડનો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. નાયર ખરેખર કેજરીવાલના ઘરની નજીક રહેતો હતો. તેઓ કેજરીવાલની નજીક હતા. તે ખરેખર વચેટિયા તરીકે કામ કરતો હતો. કેજરીવાલે દક્ષિણ લોબી પાસેથી લાંચ માંગી હતી. અમારી પાસે તેમની સામે લાંચ માંગવાના મજબૂત પુરાવા છે. EDએ કોર્ટને જણાવ્યું કે, દારૂ કૌભાંડની આરોપી કવિતાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નોંધાયેલા નિવેદનો અનુસાર કેજરીવાલ કવિતાને મળ્યા અને તેમને કહ્યું કે, તેઓએ દિલ્હીની દારૂની નીતિ પર સાથે મળીને કામ કરવું જોઈએ.
600 કરોડનો મોટો ખુલાસો
EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, કેજરીવાલે લાભ આપવાના બદલામાં સાઉથ ગ્રુપ પાસેથી લાંચ માંગી હતી. એએસજીએ પોતાની દલીલને મજબૂત કરવા માટે કેટલાક નિવેદનો પણ ટાંક્યા. ASGએ કહ્યું કે લાંચના બદલામાં સાઉથ ગ્રુપને દિલ્હીમાં દારૂના ધંધા પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. ASGએ કહ્યું, 'હું અપરાધની પ્રક્રિયામાં તેમની ભૂમિકા સમજાવીશ. આ ગુનામાં માત્ર લાંચ તરીકે મળેલા 100 કરોડ રૂપિયા જ નહીં, પરંતુ લાંચ આપનારાઓને મળેલા લાભો પણ સામેલ છે. જે 600 કરોડથી વધુ હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે,તમામ વિક્રેતાઓને અમુક અંશે રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી. એએસજીએ કોર્ટ સમક્ષ કેટલીક ચેટ પણ રજૂ કરી હતી.
#WATCH | On Arvind Kejriwal's remand hearing, Senior advocate Ramesh Gupta representing the CM said, "We've said that it is an illegal arrest and there was no evidence against him...Arguments from our side are continuing..." pic.twitter.com/iUcHaDE3Zt
— ANI (@ANI) March 22, 2024
વાંચવા જેવું: 'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ
EDના કેજરીવાલને અત્યાર સુધીમાં 10 સમન્સ
પ્રથમ સમન્સ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા 2 નવેમ્બર 2023 ના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા અને સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા હતા. તે પછી, તપાસ એજન્સીએ કેજરીવાલને ક્રમશઃ 21 ડિસેમ્બર 2023, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચ, 21 માર્ચે સમન્સ મોકલ્યા હતા. પરંતુ સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આ દરમિયાન કેજરીવાલ હાઈકોર્ટમાં પહોંચ્યા અને વચગાળાની રાહત આપવા માટે અરજી કરી. ગુરુવારે, HC એ ED પાસેથી પુરાવા માંગ્યા અને પછી વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો. હાઈકોર્ટના નિર્ણયના થોડા સમય પછી, 10 ED અધિકારીઓની એક ટીમ 10મી સમન્સ સાથે કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. સાંજે 7 વાગ્યાથી અહીં સર્ચ કર્યું. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે ED હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog