બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Manisha Jogi
Last Updated: 11:10 AM, 28 July 2023
આજના સમયમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ટ્રેંડ વધી રહ્યો છે. ડાયાબિટીસના વિકલ્પ તરીકે નહીં, પરંતુ વજન ઓછુ કરવા માટે લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરી રહ્યા છે. સ્કિન હેલ્ધી રાખવા માટે શુગરની જગ્યાએ ઓપ્શન પસંદ કરવામાં આવી રહ્યા છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, આર્ટિફિશિયલ સ્વીટનર બિનઆરોગ્યપ્રદ છે અને મીઠુ ઝેર છે.
તાજેતરમાં થયેલ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આર્ટિફિશિયલ સ્વીટનરમાં એસ્પાર્ટેમ રહેલું છે. WHO એસ્પાર્ટેમને કેન્સરકારી ઘોષિત કરવા માટે તૈયાર છે. એસ્પાર્ટેમ સૌથી ઉપયોગ કરવામાં આવતુ સ્વીટનર્સમાંથી એક છે. જેમાં રેગ્યુલર શુગરની જેમ જ કેલરી હોય છે. જે રેગ્યુલર શુગરની સરખામણીએ 200 ગણુ વધુ ગળ્યુ હોય છે, જેનો ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે.
શું શુગર ફ્રી ગોળીઓમાં એસ્પાર્ટેમ હોય છે?
ભોજનમાં કેલરી મિશ્ર ના થાય તે માટે એસ્પાર્ટેમનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં આ જાહેર કરવામાં આવ્યું હતું, જેથી શુગર વધે નહીં અને તેમની ક્રેવિંગ શાંત થઈ શકે છે. ભારતમાં શુગર ફ્રી ગોલ્ડ, ઈક્વલ તથા અનેક આર્ટિફિશિયલ સ્વીટનરમાં એસ્પાર્ટેમનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો કોક ઝીરો અને પેપ્સી મેક્સ જેવા પીણામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ સ્વીટનરથી બનેલ ચોકલેટ અથવા મિઠાઈનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં વધુ કેલરી જશે. જેના કારણે વજન વધી શકે છે અને તે હાનિકારક હોઈ શકે છે.
ડાયાબિટીસ અને સ્વસ્થ લોકો માટે એસ્પાર્ટેમ હાનિકારક કેવી રીતે હોઈ શકે છે?
ડાયાબિટીસ અને સ્વસ્થ લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ એટલા માટે કરે છે કારણ કે તેઓ માને છે કે, તેમાં ઓછી કેલરી હોય છે. આર્ટિફિશિયલ સ્વીટનરમાં ફેટ તથા અનહેલ્ધી ક્મપાઉન્ડ્સ હોઈ શકે છે, જેના કારણે વજન વધી શકે છે. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, તેના કારણે આંતરડા સાથે જોડાયેલ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. વધુ ગળ્યા હોવાને કારણે બ્રેઈન પર શુગરની જેમ જ અસર થાય છે. જેના કારણે લોકોને ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. જેના કારણે ભૂખ વધે છે અને મેટાબોલિક ડિસઓર્ડર થાય છે.
WHOએ એસ્પાર્ટેમને કેન્સરના સંભવિત જોખમી પરિબળ તરીકે વર્ગીકૃત કર્યું છે. જેના પર વધુ રિસર્ચની જરૂર છે. WHO જણાવે છે કે, કોઈ વ્યક્તિ શરીરના વજનના પ્રતિ કિલોગ્રામે દૈનિક 40 મિલીગ્રામ જેટલું સેવન કરે તો તે સુરક્ષિત છે. સામાન્ય રીતે બ્રાન્ડના એક પાઉચમાં 37 મિલીગ્રામ એસ્પાર્ટેમ હોય છે. કોલ્ડ ડ્રિંકના એક કેનમાં 200-300 મિલીગ્રામ એસ્પાર્ટેમ હોય છે. જે લોકો આર્ટિફિશિયલ સ્વીટરનો ઓછો ઉપયોગ કરે છે, અથવા માત્ર ક્યારેક જ ઉપયોગ કરે છે, તો તે ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત છે.
આર્ટિફિશિયલ સ્વીટનર શું છે?
આર્ટિફિશિયલ સ્વીટનર શુગરનો એક વિકલ્પ છે, જે પ્રાકૃતિક અને કેટલાક કેમિકલ્સને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. અનેક ડાયાબિટીસના દર્દીઓ શુગરની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે. આર્ટિફિશિયલ સ્વીટનરની સાબુદાણા જેટલી એક ગોળી ચામાં 1-2 ચમચી જેટલી મિઠાશ ભેળવી શકે છે. આર્ટિફિશિયલ સ્વીટનરમાં ઝીરો કેલરી હોય છે. આ કારણોસર દાવો કરવામાં આવે છે કે, તેનાથી વજન વધતું નથી, પરંતુ આ દાવો સંપૂર્ણપણે સત્ય નથી.
WHOનું નિવેદન
કઈ વસ્તુઓમાં એસ્પાર્ટેમ હોય છે?
એસ્પાર્ટેમ એક આર્ટિફિશિયલ કેમિકલ સ્વીટનર છે, જેનો ઉપયોગ વર્ષ 1980ના દાયકા પછી વિભિન્ન ખાદ્ય તથા પીણામાં ઉપયોગ કરવામાં આવે છે. ડાયટ ડ્રિંક્સ, ચ્યુઈંગ ગમ, જેલેટિન, આઈસ્ક્રીમ, દહીં, ડેરી પ્રોડક્ટ, નાશ્તો અનાજ, ટૂથપેસ્ટમાં એસ્પાર્ટેમ હોય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ