બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત, બે મહિલાના મોત
Last Updated: 05:52 PM, 25 December 2025
વાત જાણેકે એમ છે કે બનાસકાઠાનો પરિવાર રણુજાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો આ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. બે મહિલાઓ રોડ ક્રોસ કરવા જતી હતી ત્યાં અચાનક જ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને બે મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ બંને મહિસાઓ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ અને નાગોટ ગામની રહેવાસી હતી. આ બંને મહિલાઓના મૃતદેહ વતમમાં પરત લાવતા પરિવાર અને ગામ આખામાં આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ હતુ. ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ADVERTISEMENT

પ્રેમીબેન ઠાકોર અને તારાબેન ઠાકોરનું આ ઘટનામાં કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બંને મહિલાઓના મોતથી પરિવાર વિખેરાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: મ્યાનમારમાં ફસાયાં 10 ગુજરાતી યુવકો, મોઢે માસ્ક, ચહેરા પર ચિંતા, વીડિયો કર્યો વાયરલ
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ADVERTISEMENT
અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહનચાલકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.