બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Amit Shah Gujarat Visit new Cabinet discussion
Divyesh
Last Updated: 06:20 PM, 27 August 2019
અમિતભાઈ CM સાથે બેઠક કરી મંત્રીમંડળ અને સંગઠનની ચર્ચા કરશે
આવતી કાલે સાંજે રાજભવન ખાતે અમિતભાઈ અને CM રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારની ચર્ચા કરી શકે છે. જેમાં લાંબા સમયથી થનગની રહેલાં 3 નેતાઓને મંત્રી બનાવાઈ અને અન્ય 3ને પડતાં મૂકાય તેવી સંભાવના છે. આ સાથે ભાજપ સદસ્તા અભિયાન પૂર્ણ થતાં પ્રદેશ સંગઠનમાં નવા કાર્યકર્તાઓને હોદ્દા ફાળવી તેમને ખુશ કરવા અને પાર્ટીમાં નવો જીવ પુરવાની શક્યતાં છે. અમુક નેતાઓનું એવું પણ માનવું છે કે અમિતભાઈ આવશે એટલે અમારા પાર્ટીમાં હોદ્દા નિશ્ચિત.
વાઘાણી સહિત 3 નેતાઓને મંત્રી બનવાનો થનગનાટ
આંતરિક વર્તુળોમાં મોખરે ચાલી રહેલાં નામોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું નામ નિશ્ચિત છે, આ સાથે ઉતર ગુજરાતના બે નેતા શંકર ચૌધરી કે જેને પરબત પટેલના સ્થાને લઈ શકે છે કારણ ચૌધરીઓને ખુશ કરવાં આ પગલું લેવું જરૂરી છે. અને રહી વાત કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કરનાર અલ્પેશ ઠાકોરની તેમને તો રૂપાણી સાહેબે મંત્રી પદનું વચન આપી દીધું છે બસ અમિતભાઈ હા પાડે તેની જ રાહ છે.
પરસોતમ સોલંકી સહિત 3 મંત્રીઓને હવે પડતાં મુકાશે
લાંબા સમયથી બીમાર અને સરકારમાં નિષ્ક્રિય એવાં પરસોતમ સોલંકીથી CM સહિતના તમામ નેતાઓ થાક્યા છે. જ્યારે કચ્છના વાસણાં આહિર બે-ત્રણ વખત વિવાદમાં ફસાતાં પાર્ટી પોતાની ઈમેજ બગાડવાં નથી માંગતી. અને હજુ એક દિગ્ગજ નેતા અને મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત અત્યંત નાદુસ્ત રહે છે આથી તેમનું ખાતું જીતુભાઈને આપી તેમને પાર્ટીની કોઈ જવાબદારી સોપાઈ તેવી સંભાવના છે.
જીતુભાઈને મંત્રી બનાવી પ્રદેશ અધ્યક્ષ બદલવાની તજવીજ
જીતુભાઈ વાઘાણી અમિતભાઈના માનીતા નેતા છે એટલે તેમનાં જ નેતૃત્વમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ભાજપે લડી. પરંતુ હવે જીતુભાઈ પોતે મંત્રી બનવા થનગની રહ્યા છે એવું અંગત સુત્રોનું કહેવું છે. ઉપરાંત પ્રદેશને નવું નેતૃત્વ મળે તો કાર્યકર્તાઓમાં પણ નવો ઉત્સાહ આવે તેવી વિચારધારાથી ફેરફાર શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT