બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amit Shah attacks Congress over vote bank says Narendrabhai ended familyism
Kishor
Last Updated: 05:02 PM, 28 November 2022
ગુજરાતનો ગઢ કબ્જે કરવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઑ રીતસરના મેદાને ઉતાર્યા છે. જેમાં પોતપોતાના પક્ષના ઉમેદવારોને જીતાવવા લોકપ્રિય નેતાઑ ઠેકઠેકાણે સભાઑ ગજવી રહ્યાં છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહીત અનેક નેતાઑ ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે ભાજપના પ્રચંડ પ્રચારના ભાગરુપે અરવલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સભા સંબોધી હતી.
8 વર્ષમાં ગરીબોના જીવનમાં પરિવર્તન આવ્યા : શાહ
અરવલ્લીના ભિલોડામાં અમિત શાહએ જનસભા સંબોધી જણાવ્યું હતુ કે ગુજરાતમાં જાતિવાદ પરિવારવાદને નરેન્દ્ર મોદીએ ખતમ કર્યો હોવાનું કહ્યું હતું. વધુમાં કોરોના કાળમાં ગરીબોની પરેશાની પારખી 80 કરોડ ગરીબોને સવા બે વર્ષ સુધી મફતમાં અનાજ પહોંચાડ્યુ છે. આદિવાસી સમાજની દીકરીને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઑને ગૌરવ આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું હોવાનું કહ્યું હતું. ઉપરાંત અરવલ્લી જિલ્લામાં વીજળી, ઘર, ગેસ સિલિન્ડર, રોડ રસ્તા સહીત અનેક વિકાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં 8 વર્ષમાં ગરીબોના જીવનમાં પરિવર્તન આવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.
ભાજપ સરકારે એક જ ઝાટકે કલમ 370 હટાવવાનું કામ કર્યુ
રામ મંદિરને લઇને કોંગ્રેસ લાંબા સમયથી આ મુદાને લટકાવી અભેરાઇએ ચડાવતી હતી. જ્યારે નરેન્દ્ર મોદી સરકારે તાત્કાલિક નિર્ણય લઇ આસ્થાના કેન્દ્રોને મજબૂતી આપવાનું કામ કર્યુ છે. વધુમાં કોંગ્રેસે રામ મંદીર મામલે માત્ર વાયદાઑ કર્યા હોવાનું કહી અમિત શાહે દાવા સાથે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2024 ના રોજ આયોધ્યામાં ગગનચૂંબી રામ મંદિર તૈયાર હશે. તેમણે કહ્યું કે વોટ બેંકની રાજનિતીથી કોંગ્રેસ ઉપર આવી જ ન શકી વર્ષોથી કોંગ્રેસની સરકારે વોટ બેંક સાચવવા માટે કામ ન કર્યું હોવાનું પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યાંરે ભાજપ સરકારે એક જ ઝાટકે કલમ 370 હટાવવાનું કામ કર્યુ હોવાનું અંતમાં અમિત શાહએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime