બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'જેમ શિક્ષણમાં અનામત લીધી, તેમ ચૂંટણીમાં...', જુઓ શું બોલ્યા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા?
Last Updated: 11:34 AM, 8 November 2025
સુરતમાં પાટીદાર સમાજની બેઠકમાં અલ્પેશ કથીરિયાએ અનામત મુદ્દે મોટુ નિવેદન આપ્યું..તેમણે કહ્યું કે શિક્ષણની જેમ ચૂંટણીમાં અનામત માટે સરકારમાં રજુઆત કરી છે..તેમણે કહ્યું કે સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે. અત્યાર સુધી અભ્યાસમાં અનામત મુદ્દે લડત ચલાવી હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે.. તેમણે કહ્યું કે દરેક ગામમાં સમાજે એક થવાની જરૂર છે.. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે સ્થાનિક ચૂંટણીમાં 27 ટકા અનામતનો નિયમ લાગુ થયો છે..આને પરિણામે આવનારા દિવસોમાં સ્થિતિ ખરાબ થશે.
ADVERTISEMENT
મહત્વનું છે કે વર્ષ 2026માં ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આ પહેલાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આવનારી ચૂંટણીમાં 27% OBC અનામતનો અમલ થવાનો છે.
આ પણ વાંચોઃ ગુજરાતની રાજનીતિમાં હડકંપ: ભાજપના મોટા નેતાએ આપ્યું રાજીનામું, 10 હજાર કરોડના પેકેજને ગણાવી મશ્કરી
ADVERTISEMENT
અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 48 વોર્ડની 192 બેઠક છે. જેમાંથી 96 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે સામાન્ય વર્ગ માટે 59 બેઠકો અને 113 બેઠકો અન્ય અનામત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 20 બેઠકો, પછાત વર્ગ માટે 52 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.