બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Akhand Ramdhun plays in the Sankirtan Temple on Kala Road in Rajkot
Dinesh
Last Updated: 07:19 AM, 23 March 2024
સૌરાષ્ટ્રમાં છ જગ્યાએ વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે. જામનગર બાલા હનુમાન મંદિરે સાંઈઠ વર્ષથી, દ્વારકા અને પોરબંદર સત્તાવન વર્ષથી, જૂનાગઢ સત્યાવીસ વર્ષથી, મહુવા છવ્વીસ વર્ષથી અને રાજકોટમાં ચાલીસ વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. રાજકોટમાં કાલારોડ પર આવેલા સંકીર્તન મંદિરમાં 14000થી વધારે દિવસોથી 24 કલાક અખંડ રામધુન ચાલી રહી છે. પ્રેમભિક્ષુક મહારાજે અખંડ રામધૂનની શરુઆત કરાવી હતી જે હાલમાં પણ અવિરત ચાલી રહી છે.
સૌરાષ્ટ્રમાં છ મંદિરોમાં વર્ષોથી અખંડ રામધૂન
આપણા દેશમાં ભગવાન શ્રીરામના નામ માટે લોકો અવિરત સેવા આપતા હોય છે. રાજકોટમાં એવુ મંદિર આવેલુ છે જ્યાં છેલ્લા 40 વર્ષથી એટલે કે 14,000 દિવસથી પણ વધારે દિવસો અને સતત 24 કલાક એટલે સાડા ત્રણ લાખ કલાકથી પણ વધારે કલાકોથી રામ નામની અવિરત ધૂન એટલે રામનું નામ લોકો પોતાના મુખેથી લઈ રહ્યા છે. બિહારના પ્રેમજી મહારાજને વિચાર આવ્યો કે લોકોના મુખેથી રામનું નામ લેવાય તો રામનું નામ લેવા માટે શું વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને ચાલુ થઈ રામધૂન જે હાલમાં સૌરાષ્ટ્રમાં છ મંદિરોમાં ચાલે છે અને આ મંદિરો સંકીર્તન નામથી ઓળખાય છે. સૌ કોઈ લોકો ઘરે પૂજાપાઠ કરતા હોય છે પણ સંકીર્તન મંદિરમાં થતી રામધૂનની સાથે માળા કરવાનુ ફળ જ અનોખુ મળે છે. ચોવીસ કલાક ચાલતી રામધૂન અનોખી ઉર્જાની અનુભૂતી ઉત્પન્ન કરે છે
રાજકોટના મંદિરમાં 40 વર્ષોથી અવિરત રામધૂન
વર્ષોથી અખંડ રામધૂન ચાલવાનો સંકીર્તન મંદિરનો વલ્ડ રેકોર્ડ છે. રાજકોટમાં 40 વર્ષોથી 365 દિવસ સતત 24 કલાક રામધૂન બોલવામાં આવી રહી છે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય ભાવિક ભક્તો રામનું નામ લેવા નિયમિત મંદિરે પહોંચી જ જાય છે અને વર્ષોથી ચાલતી રામધૂનને અવિરત ચલાવ્યે જ જાય છે. મંદિરની દિવાલો પર નારદમુની અને હનુમાનજીના પણ રામધૂન કરતા હોય તેવા ચિત્રો લગાવવામાં આવ્યા છે અને મંદિરમાં ચાલતી રામધૂનમાં જાણે તેઓ પણ સામેલ થઈ ગયા હોય તેવી પ્રતીતી થાય છે. ભાવિકો સંકીર્તન મંદિરે આવી ધન્યતા અને શાંતિ અનુભવે છે. દરેક ભાવિકો પોતાના પરિવારના સભ્યો અને બાળકોને મંદિરે લાવે છે. જેથી તેઓ પણ રામનું નામ લઇ શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે.
રામધૂન ચાલે છે તે મંદિરો સંકીર્તન નામથી ઓળખાય છે
છેલ્લા 40 વર્ષથી ચાલી રહેલી રામધૂનમાં પરિવારના સભ્યો પણ સહભાગી બને છે. સાધુસંતોની ભક્તિભાવમાં લીન હોય તેવી અલગ અલગ મુદ્રા દર્શાવતી તસ્વીરો મંદિરમાં લગાવવામાં આવી છે જે આપણા દેશના ભક્તિભાવના ઈતિહાસને ઉજાગર કરે છે. રાજકોટવાસીઓ મંદિરમાં રામલ્લાના દર્શન કરી ધન્ય તો થાય જ છે સાથે સાથે મંદિરમાં કરવામાં આયોજનમાં સહભાગી થાય છે અને રામનામની ધૂન કરવા નિયમિત જોડાય છે. સંકીર્તન મંદિરમાં 24 કલાક અખંડ ધૂન તો બોલવામાં આવી રહી છે. રામધૂન સાથે સાથે રામનુ નામ લખીને પણ ભક્તિ થઈ રહી છે. અત્યાર સુધીમાં ભાવિકો દ્વારા 18 કરોડ વાર રામનુ નામ લખેલી પોથીઓ મંદિરમાં સાચવી રાખવામાં આવી છે. ભાવિકોએ રામ નામ લખેલી પોથીઓ મંદિરના કબાટમાં રાખવામાં આવી છે અને એક બે નહીં મોટી સંખ્યામાં કબાટો પોથીઓથી ભરેલા છે.
વાંચવા જેવું: અમદાવાદમાં IPLને જોતાં ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, આ રસ્તા રહેશે બંધ, નોંધી લો સમય
દરેક ઋતુમાં રામધૂન ભક્તોનો નિત્યક્રમ
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા સંકીર્તન મંદિરમાં એક પણ એવો દિવસ કે એક પણ એવી સેકન્ડ નથી જ્યારે રામનું નામ ન લેવાયુ હોય મંદિરમાં એક ઘડિયાળ મુકવામાં આવી છે જે સતત સમય અને દિવસ ગણી અને રામનું નામ કેટલું લેવાયુ તે લાઈવ બતાવે છે. ઘડિયાળમાં જોઈ શકાતો આંકડો અત્યાર સુધીના દિવસોનો આંકડો છે. 40 વર્ષથી ચાલી રહેલી રામ ધૂન 14,569 દિવસ પૂરા કરી અવિરત ચાલી રહી છે. મંદિરે દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ભાવિકો ભગવાનના દર્શન કરી દરેક ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાય છે. વર્ષોથી નિયમિત સંકીર્તન મંદિરે આવતા ભાવિકો રામધૂનનો આનંદ માણવાની સાથે પોતે રામધૂનમાં લીન થઈ નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે. આરતી સમયે મંદિરનો દરેક ખૂણો ઘંટ નગારા અને ભાવિકોની તાળીઓથી ગુંજી ઉઠે છે. અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જેમાં ભક્તો લીન થઈ જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog