બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / અજબ ગજબ / AJAB GAJAB Natvarlal sell Taj Mahal 3 times, Red Fort 2 times and Rashtrapati Bhawan 1 time
Megha
Last Updated: 03:36 PM, 12 March 2024
કેટલાક લોકો ઇતિહાસ બનાવે છે અને કેટલાક ઇતિહાસ બની જાય છે અને વર્તમાનમાં સમયમાં ભૂતકાળના એ જ કિસ્સોઆ લોકોને સાંભળવા ગમે છે. મિસ્ટર નટવરલાલ નામથી જાણીતો વ્યક્તિ આવો જ છે. આમ તો દુનિયા એમને નટવરલાલ તરીકે ઓળખે છે પરંતુ એમનું સાચું નામ હતું મિથલેશ કુમાર શ્રીવાસ્તવ.
વર્ષ 1912 માં, બિહારના સિવાન જિલ્લાના બાંગરા ગામમાં મિથિલેશ ઉર્ફે નટવરલાલનો જન્મ થયો હતો. કોઈ ફિલ્મની જેમ નટવરલાલની કહાનીના બે અલગ અલગ પાર્ટ છે. શરૂઆત થાય છે શ્રીમંત જમીનદાર રઘુનાથ પ્રસાદના મોટા પુત્ર મિથિલેશ જે અભ્યાસમાં સરેરાશ વિદ્યાર્થી હતા તો ફૂટબોલ અને ચેસમાં વધુ રસ ધરાવતા હતા. કહેવાય છે કે મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થયા બાદ મિથિલેશને તેના પિતાએ માર માર્યો હતો. જે બાદ તે કલકત્તા ભાગી ગયા અને ત્યાંથી એમના જીવનનમાં વળાંક આવ્યો
આમ તો તેમની ઠગીના કિસ્સાઓ વિદેશમાં પણ પ્રખ્યાત છે, પરંતુ તેણી શરૂઆત નટવરલાલના પાડોશમાંથી જ શરૂ થઈ હતી. બન્યું એવું કે એકવાર મિથિલેશને તેના પાડોશીએ બેંકમાં ડ્રાફ્ટ જમા કરાવવા મોકલ્યો. ત્યાં જઈને મિથિલેશે પાડોશીની સહી બરાબર નકલ કરીને તેના ખાતામાંથી 1000 જેટલા રૂપિયા ઉપાડી લીધા હતા.
બસ અહીંથી જ એમની ઠગીને કહાની શરૂ થઈ અને ધીરે ધીરે નટવરલાલ કોન મેન બની ગયા. નટવરલાલે ત્રણ વખત તાજમહેલ, બે વખત લાલ કિલ્લો તો એક વખત રાષ્ટ્રપતિ ભવન વેચ્યું હતું. એટલું જ નહીં કહેવાય છે કે એક વખત તેણે ભારતનું સંસદ ભવન પણ વેચી દીધું હતું. એવું પણ કહેવાય છે કે નટવરલાલે એક વખત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની નકલી સહી કરીને ઠગાઈ કરી હતી સાથે જ નટવરલાલે ધીરુભાઈ અંબાણી, ટાટા અને બિરલા ઉદ્યોગપતિઓ તેમજ ઘણા સરકારી અધિકારીઓ સાથે ઠગાઈ પણ કરી હતી.
વધુ વાંચો: VIDEO: Tucker ડોગ વીડિયો બનાવી કરે છે કરોડોની કમાણી, તો Gunther શ્વાન છે 30 અબજ રૂપિયાનો માલિક
એક સમય એવો હતો જ્યારે આ મિસ્ટર નટવરલાલ 100 કેસમાં 8 રાજ્યોમાં વોન્ટેડ હતો. અને 9 વખત તો તેની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 8 વખત તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. એક રિપોર્ટ અનુસાર 2009માં નટવરલાલના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે નટવરલાલનું 25 જુલાઈ, 2009ના રોજ અવસાન થયું હતું, તેથી તેમની સામેનો પેન્ડિંગ કેસ રદ કરી દેવામાં આવે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime