બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કરોડોના કામ પણ નિષ્ફળ? અમદાવાદના 3 વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યા યથાવત્

વરસાદી માહોલ / કરોડોના કામ પણ નિષ્ફળ? અમદાવાદના 3 વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યા યથાવત્

Published By: Vishal Khamar

Last Updated: 02:43 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત ૨૩ જુલાઈએ સવારના છથી સાંજના ચાર વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ પોણા ચાર ઈંચ (૯૫.૯ મિ.મી.) વરસાદ નોંધાયો હતો. શહેરના ત્રણ વિસ્તારોમાં ફરીથી ભારે જળબંબાકાર સર્જાયો હતો.

ગત ૨૩ જુલાઈએ સવારના છથી સાંજના ચાર વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ પોણા ચાર ઈંચ (૯૫.૯ મિ.મી.) વરસાદ નોંધાયો હતો. ચોમાસા પહેલાં પાણી ભરાઈ જવાની સમસ્યા માટે કુખ્યાત બનેલાં ૯૦ ટકા સ્થળો પરથી વરસાદી પાણી ઊતરી ગયું, પરંતુ શહેરના ત્રણ વિસ્તારોમાં ફરીથી ભારે જળબંબાકાર સર્જાયો હતો. છેલ્લા એક દાયકામાં આ વિસ્તારોમાં પૂરરોધક માળખાકીય કામો પાછળ અંદાજે રૂ. ૬૦ કરોડનો ખર્ચ છતાં સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.

એએમસીએ મહિલા તળાવ (બોડકદેવ), શ્રીનંદનગર (વેજલપુર) અને મધુમાલતી એપાર્ટમેન્ટ (કઠવાડા) વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન, ‌િડસિલ્ટિંગ, પમ્પિંગ સ્ટેશન અને પરકોલેટિંગ વેલ જેવા અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. તેમ છતાં દર વર્ષે વરસાદમાં રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી જાય છે. આ વખતે પણ અનેક મકાનોમાં પાણી ભરાતાં કેટલાક વિસ્તારોમાં રહેવાસીઓને ફૂડ પેકેટ વહેંચવાની ફરજ પડી હતી.

ત્રણ વિસ્તારોની ગંભીર સ્થિતિ

રાજપથ-રંગોલી રોડ (બોડકદેવ):

છેલ્લાં પાંચ વર્ષમાં અહીં લગભગ રૂ. ૨૫ કરોડનાં કામ કરવામાં આવ્યાં છે. સ્ટ્રોમ વોટર લાઇન, ‌િડસિલ્ટિંગ અને પરકોલેટિંગ વેલ બન્યા છતાં મહિલા તળાવ આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. એએમસી હવે અહીં કાયમી સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે જમીન ખરીદી રહી છે.

શ્રીનંદનગર, વેજલપુર:

દસ વર્ષથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહેલા આ વિસ્તારમાં રૂ. ૧૨.૫ કરોડથી વધુનાં વિકાસકામ થયાં છે. અગાઉ રૂ. ૧૦ કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન પણ બનાવાયું હતું, છતાં તાજેતરના વરસાદમાં શ્રીનંદનગર, બકેરી સિટી અને આસપાસની સોસાયટીઓ ફરી પાણીમાં ગરકાવ થઈ હતી. હવે સોનલ સિનેમા રોડથી સાબરમતી સુધી નવી આરસીસી ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે.

મધુમાલતી એપાર્ટમેન્ટ, કઠવાડા:

ઔડા અને એએમસીએ મળીને આશરે રૂ. ૩૦ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખી હતી, પરંતુ સિગરવા તળાવમાં ક્ષમતા કરતાં વધુ પાણી આવતાં વિસ્તાર ફરી ડૂબ્યો હતો. હવે સિગરવા, દયાવન અને ખોડિયાર તળાવને પરસ્પર જોડવાની નવી યોજના તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ફરજ પહેલાં, પરિવાર પછી! 72 કલાકની મહેનતથી AMCના 13 હજાર કર્મચારીઓએ અમદાવાદને સંભાળ્યું

બોપલમાં પણ સ્થિતિ ગંભીર

૨૨ ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડ્યાના કેટલાય દિવસો બાદ પણ બોપલના અનેક વિસ્તારોમાં પાણી સંપૂર્ણપણે ઊતર્યું નથી. સ્ટર્લિંગ સિટી સહિત અનેક સોસાયટીઓમાં રસ્તા અને ઘરોમાં હજુ પાણી ભરાયેલું છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ વરસાદી પાણી સીધું ઘરોમાં ઘૂસતાં ભારે નુકસાન થયું છે. કેટલાક લોકોએ રસ્તાની ઊંચાઈ વધારવાનાં કામ અને જાળવણીના અભાવને પણ પાણી ભરાવાનું એક કારણ ગણાવ્યું છે. નગરજનોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં દર વર્ષે એ જ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાતો હોવાથી લાંબા ગાળાનો અસરકારક ઉકેલ હવે સમયની માગ બની ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad waterlogging Ahmedabad rain Bodakdev flooding

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ