બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Dinesh
Last Updated: 07:08 PM, 11 April 2023
અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર નિમેશભાઈ શાહે ગાંધીનગર સ્થિત પોતાના આવાસ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. એ ઘટનાને એક દિવસ વીતી ચૂક્યો છે. પરંતુ હવે એ ઘટનાએ યુનિવર્સિટીના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. કારણ એ હતું કે, મૃતક પ્રોફેસર નિમેશભાઈએ સ્યૂસાઈડ નોટમાં પોતાના મોત માટે જે કારણો દર્શાવ્યા છે તેના કારણે એલડી એન્જિનિયરિંગ કોલેજના તંત્રવાહકો સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. નિમેષભાઈના ઘરેથી જે સુસાઈડ નોટ મળી આવી હતી તેમાં પોતાની આત્મહત્યા પાછળ કોલેજમાં કામનું વધુ ભારણ હોવાનું જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે,તેમને કોલેજમાં કામનો ખૂબ જ લોડ લાગી રહ્યો છે. ત્યારે હવે પ્રોફેસર નિમિષ શાહના સુસાઇડ મામલે આજે NSUI દ્વારા એલડી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના કારણે કોલેજ કેમ્પસમાં આચાર્યના કાર્યાલય બહાર પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. NSUI કાર્યકરોનો આક્ષેપ છે કે, પ્રોફેસરનું શોષણ થઈ રહ્યું હતું.
પ્રવક્તા મનિષ દોશી નિવેદન
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ડીગ્રી, ડીપ્લોમાં ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની મોટા પાયે ખાલી જગ્યા છે. સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ-1ની 276 જગ્યા ખાલી છે તેમજ વર્ગ-3ની 478 માંથી 310 બેઠકો ખાલી છે. તેમણે કહ્યું કે, વર્ગ-4ની 265માંથી 197 બેઠકો ખાલી છે અને 2744 મંજુર જગ્યાઓમાંથી 1 હજાર જગ્યા ખાલી છે. મોટાપાયે બેઠક ખાલી હોવાથી કામ કરનારા અધ્યાપકોને કામનું અતિ ભારણ છે. ફી ઉઘરાવવી, બીલ બનવવા, વિધાર્થીઓ પાસે નોકરી શોધાવવાનું કામ કરે છે. પ્રોફેસર પાસે વર્ગ 3-4ની કામગીરી કરવવામાં આવી રહી છે.
'પ્રોફેસરો માનસિક તાણ અનુભવે છે'
મનિષ દોશીએ જણાવ્યું કે, પ્રોફેસરો માનસિક તાણ અનુભવે છે. સરકારી ઈજનેરી કોલેજના આધ્યાપકોને 12 વર્ષે પણ ઉચ્ચ પગાર ધોરણ મળ્યું નથી. તેમણે કહ્યું કે, ડીગ્રી થતા ડીપ્લોમાં ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની લાંબા સમયથી મોટા પાયે ખાલી જગ્યા. રાજ્ય સરકારની અનિર્ણિયકતાને કારણે સરકારી ઈજનેરી કોલેજના આધ્યાપકોને 12 વર્ષે પણ ઉચ્ચનો પગારનો લાભ મળતો નથી. વારંવારની રજૂઆત છતાં ટેકનીકલ શિક્ષણ પ્રત્યે રાજ્ય સરકારની ઓરમાયું વર્તન કર્યું છે. તેમણે કહ્યું કે, ઈજનેરી ડીગ્રી-ડીપ્લોમાં કોલેજના અધ્યાપકો પાસેથી શિક્ષણ સિવાય વહીવટી કામનું અતિ ભારણ, શિક્ષણ પર પણ અસર સાથોસાથ માનસિક તાણ પ્રાધ્યાપકો અનુભવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા