બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી જતા જ ચૂંટણીઓનો ધમધમાટ શરૂ, લાભ પાંચમથી ભાજપ કરી નાખશે પ્રચારનું મુહૂર્ત!
Last Updated: 10:31 AM, 25 October 2025
લાભ પાંચમના શુભ પ્રસંગથી ભાજપ મનપા અને સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી માટે સક્રિય બનવા જઈ રહી છે. પક્ષે ચૂંટણી પૂર્વે કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા માટે વોર્ડ મુજબ સ્નેહ મિલન સમારોહ યોજવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
10 નવેમ્બર દરમિયાન સ્નેહ મિલન સમારોહનું આયોજન
આ સ્નેહ મિલન સમારોહો 26 ઑક્ટોબરથી 10 નવેમ્બર સુધી શહેરો અને તાલુકાઓમાં યોજાશે. વિશેષ વાત એ છે કે આ વખતના કાર્યક્રમો વિધાનસભા વિસ્તારની બદલે વોર્ડ સ્તરે યોજાશે, જેથી તળિયાના કાર્યકર્તાઓ સુધી સીધી જોડાણ સ્થાપી શકાય.
ADVERTISEMENT

સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપશે
ADVERTISEMENT
દરેક વોર્ડ સંમેલનમાં સ્થાનિક સંગઠન તેમજ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. તેઓ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધશે, આગામી ચૂંટણી માટેની તૈયારીની સમીક્ષા કરશે તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપશે.

ADVERTISEMENT
પાર્ટી સૂત્રો મુજબ આ આયોજનનો મુખ્ય હેતુ ચૂંટણી પૂર્વે કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો સંચાર કરવાનો છે. ભાજપ સામાન્ય રીતે આ પ્રકારના સ્નેહ મિલન સમારોહો વિધાનસભા સ્તરે યોજતી આવી છે. પરંતુ આ વખત વોર્ડ સ્તરે કાર્યક્રમો દ્વારા સ્થાનિક સ્તરે સંકલન અને સંપર્ક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આવશે 4થી 8 ઈંચ સુધીનો વરસાદ, ડીપ ડિપ્રેશન લાવશે વાવાઝોડું!
ADVERTISEMENT
આ કાર્યક્રમો દ્વારા ભાજપ સ્થાનિક સ્તરે પોતાના સંગઠનને વધુ સક્રિય બનાવી મનપા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT