બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મેઘરાજાની તોફાની બેટિંગ જારી, આઠ અંડર બ્રિજ બંધ, અનેક વિસ્તારો જળબંબાકાર, વાસણા બેરેજના 22 દરવાજા ખોલાયા
Last Updated: 01:15 PM, 24 July 2026
શહેરમાં આજે વહેલી સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં માત્ર પાંચ કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સવારના 5થી 10 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 22.83 મિમી (એક ઇંચ) વરસાદ નોંધાતાં મધ્ય, ઉત્તર અને પૂર્વ ઝોનના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર પણ વ્યાપક અસર જોવા મળી હતી.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલરૂમના આંકડા મુજબ શહેરમાં સૌથી વધુ 1.79 ઇંચ (45.50 મિમી) વરસાદ અસારવામાં નોંધાયો હતો. ત્યાર બાદ કાલુપુર અને વિરાટનગરમાં 1.50 ઇંચ, મેમ્કોમાં 1.46 ઇંચ, ચકુડિયામાં 1.36 ઇંચ અને ઓઢવમાં 1.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય ઝોનમાં સરેરાશ 1.33 ઇંચ અને ઉત્તર ઝોનમાં 1.10 ઇંચ વરસાદ નોંધાતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
ભારે વરસાદના પગલે સુરક્ષાના ભાગરૂપે મકરબા, પરિમલ, અખબારનગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ જીએસટી અને ચાંદખેડા સહિત શહેરના કુલ આઠ અંડર બ્રિજ વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. એસ.જી. હાઇવે, ગોતા, જગતપુર, એસ.પી. રિંગ રોડ, ન્યૂ રાણીપ, ચાંદખેડા, ત્રાગડ રોડ, આઈઓસી રોડ, ડી-કેબિન રોડ અને ચેનપુર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિક ધીમો પડ્યો હતો.
ADVERTISEMENT
આ દરમિયાન પાંજરાપોળ ચાર રસ્તા નજીક સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડવાની ઘટના પણ બની હતી, જેના પગલે એએમસીએ નાગરિકોને હેલ્મેટ સર્કલ તરફ અવરજવર ટાળવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
એએમસીના સત્તાવાર અહેવાલ મુજબ આજે નોંધાયેલા વરસાદ બાદ ચાલુ ચોમાસામાં અમદાવાદમાં કુલ સરેરાશ વરસાદ 16.93 ઇંચ (429.92 મિમી) થયો છે. સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજનું જળસ્તર વધતાં પાણીના પ્રવાહનું સંચાલન કરવા બેરેજના ૨૨ દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું તંત્રએ જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.