બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 11:22 AM, 22 March 2024
દિલ્હીના શરાબ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં ધરપકડથી આમ આદમી પાર્ટીની સાથે સાથે દિલ્હીના સરકારનાં નેતૃત્વ સામે સંકટ ઉભું કર્યું છે. આમ આદમી પાર્ટીએ પાર્ટીનાં નેતૃત્વ માટે જલ્દી જ કેજરીવાલનો વિકલ્પ શોધવો પડશે. આમ કેજરીવાલ રિપ્લેસમેન્ટનાં રૂપમાં તેમના પત્ની સુનિતા કેજરીવાલ, કેબિનેટ મંત્રી આતિષી અને સૌરભ ભારદ્વાજનું નામ ચર્ચામાં છે.
હવે આમ આદમી પાર્ટીની સામે એક યોગ્ય નેતા ઉતારવો તે સૌથી મોટી ચેલેન્જ છે, જે કેજરીવાલની ગેરહાજરીમાં પાર્ટી અને સરકાર બંને સંભાળી શકે. જો કે AAPનાં નેતૃત્વ માટે 2012માં પાર્ટીની સ્થાપના પછીના સંયોજક અને ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી એવા કેજરીવાલના કદની નજીક આવે તેવું નામ શોધવું ખરેખર મોટું કાર્ય છે. આ મામલે પક્ષ માટે વિકલ્પો ખૂબ ઓછા છે.
AAP માટે કેજરીવાલનું રિપ્લેસમેન્ટ ઝડપથી શોધવું વધુ મહત્વનું બની ગયું છે, કારણ કે આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, ગુજરાત, આસામ અને હરિયાણામાં લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, જ્યાં કેજરીવાલને પાર્ટીના સ્ટાર પ્રચારક બનવાના હતા.
પૂર્વ IRS અધિકારી સુનિતા કેજરીવાલ સિવાય પણ AAPના મંત્રી આતિષી અને સૌરભ ભારદ્વાજનું નામ આ પદ માટે ચર્ચામાં છે. દિલ્હી સરકારમાં શિક્ષણ, નાણા, પીડબલ્યુડી, મહેસૂલ જેવી સેવાઓ સહિત સૌથી વધુ પોર્ટફોલિયો ધરાવતા આતિશીને અરવિંદ કેજરીવાલની નજીકના નેતા માનવામાં છે. તે પાર્ટીના પ્રવક્તા પણ છે.
આ ઉપરાંત સૌરભ ભારદ્વાજ પણ દિલ્હી સરકારના એક મોટા મંત્રી છે. તેમના પર સ્વાસ્થ અને શહેરના વિકાસ જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી છે. તે પાર્ટીના જાણીતો ચહેરો છે. સૌરભ ભારદ્વાજ પણ પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ બનવાની રેસમાં છે.
ભારદ્વાજે તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "આ અભિયાનમાં લગભગ 90% લોકોએ અભિપ્રાય આપ્યો કે કેજરીવાલ પાસે દિલ્હીનો જનતા છે અને તેઓને પસંદ કરવામાં આવ્યા છે. તેથી, તેઓ જ દિલ્હીમાં સરકાર ચલાવશે, પછી ભલે તે ગમે ત્યાંથી ચલાવે."
જો કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં AAPએ "મૈં ભી કેજરીવાલ" નામનું સહી અભિયાન શરૂ કર્યુ હતું, જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ કે ધરપકડ કરવામાં આવે તો જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ. આ પ્રચાર દરમિયાન, AAP વડાએ આ મુદ્દે તેમની પ્રતિક્રિયા માટે પાર્ટીના ધારાસભ્યો અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોને પણ મળ્યા હતા.
વધુ વાંચોઃ ISROએ લોન્ચ કર્યું 21મી સદીનું પુષ્પક વિમાન, જાણો શું છે ખાસિયતો
સુનીતા કેજરીવાલ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આતિષીના નામ પણ એવા નેતાઓ તરીકે ચર્ચામાં છે જે 'AAP'ના નવા રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સંભાળી શકે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime