બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action against managers of AMOS Company in Botad Chemical Scandal
Khyati
Last Updated: 11:19 AM, 1 August 2022
બોટાદના બરવાળા લઠ્ઠાકાંડમાં વધુ 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યાં છે. જેના લીધે લઠ્ઠાકાંડનો કુલ મૃત્યુઆંક 46 થઇ ગયો છે. બોટાદમાં 33 અને ધંધુકામાં 13 મળીને કુલ 46 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. લઠ્ઠાકાંડમાં 93 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલા 93માંથી 83 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તો બીજી તરફ આ મામલે ગુનાહિતોને સામે પોલીસે સકંજો કસ્યો છે.
AMOS કંપનીના સંચાલકો સામે કાર્યવાહી
બોટાદના બરવાળામાં ઝેરી કેમિકલ કાંડ મામલે AMOS કંપની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસનું સમન્સ અપાયુ છે. ચારેયને બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ અપાયુ છે. પંકજ પટેલ, સમીર પટેલ તથા રજિત ચોક્સી, ચંદુ પટેલને બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા આદેશ અપાયો છે.
લઠ્ઠાકાંડમાં AMOS કંપનીનો શું છે રોલ
લઠ્ઠાકાંડનો આરોપી જયેશ કે જે કેમિકલ ચોરીને બુટલેગર સુધી પહોંચાડતો હતો. આ આરોપી જયેશ AMOS કંપનીમાં કામ કરતો હતો. અમદાવાદના પીપળજમાં આ કંપની આવેલી છે. આરોપી જયેશે બુટલેગરને મોકલેલા દારૂના જથ્થામાં કંપનીમાં ઉપલબ્ધ મિથેનોલનો ઉપયોગ કરાતો કે જે એક પ્રકારે ઝેર જ કહી શકાય. આ જથ્થો AMOS ફેક્ટરીમાંથી જ સપ્લાય કરાતો. વળી જાણવા મળ્યુ હતું કે AMOS કંપની AMCના લાયસન્સ રિન્યુ કર્યા વગર ચાલે છે.
કોણ છે આરોપી સમીર પટેલ ?
AMOS કંપનીનો માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે.આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.
AMOS કંપનીમાંથી કેમિકલની કરતો ચોરી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા