બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / AC 16-17°C પર રાખતા પહેલાં જાણો તેના ગંભીર સાઇડ ઇફેક્ટ્સ

તમારા કામનું / AC 16-17°C પર રાખતા પહેલાં જાણો તેના ગંભીર સાઇડ ઇફેક્ટ્સ

Jinal Chauhan

Last Updated: 02:57 PM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો ACને 16-17 ડિગ્રી પર ચલાવે છે, પરંતુ આ આદત આરોગ્ય અને ખિસ્સા બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ખૂબ ઓછા તાપમાને AC ચલાવવાથી શરદી, સાંધાના દુખાવા અને આંખ-ત્વચાની સમસ્યાઓ વધી શકે છે, સાથે વીજળીનું બિલ પણ વધારે આવે છે.

ઉત્તર ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં આકરો ઉનાળો પડી રહ્યો છે. ગરમીથી કંટાળી લોકો ઘરે પહોંચતાની સાથે જ એર કન્ડિશનર (AC)નું તાપમાન 16 કે 17 ડિગ્રી પર સેટ કરી દે છે, જેથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય. જોકે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ આદત શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, તેનાથી વીજળીનું બિલ પણ વધી શકે છે.

અચાનક ઠંડીમાં જવાથી શરીરને લાગે છે ઝટકો

જ્યારે વ્યક્તિ 40થી 45 ડિગ્રી તાપમાનમાં બહારથી આવે અને સીધો 16 ડિગ્રીના ઠંડા રૂમમાં બેસી જાય ત્યારે શરીરને તાપમાનમાં મોટો ફેરફાર સહન કરવો પડે છે. આ સ્થિતિને "થર્મલ શોક" કહેવામાં આવે છે.આ કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને રક્તપ્રવાહ પર અસર પડે છે. પરિણામે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને વારંવાર શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અથવા ઇન્ફેક્શન થવાની શક્યતા વધે છે.

સાંધા અને સ્નાયુઓની સમસ્યાઓ વધી શકે

લાંબા સમય સુધી ખૂબ ઠંડા તાપમાને રહેવાના કારણે સ્નાયુઓમાં જકડાશ આવી શકે છે. ઠંડી હવા સતત શરીર પર પડતી રહે તો સાંધામાં દુખાવો, કમરનો દુખાવો અને મસલ્સમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.ખાસ કરીને આર્થરાઇટિસ, સાઇનસ અથવા સાંધાના દર્દથી પીડાતા લોકો માટે 16-17 ડિગ્રીનું તાપમાન વધુ તકલીફદાયક બની શકે છે. કેટલાક લોકોને માથાનો દુખાવો પણ શરૂ થઈ શકે છે, જે આગળ જતાં માઇગ્રેનનું સ્વરૂપ લઈ શકે છે.

ત્વચા અને આંખોને પણ થાય છે નુકસાન

AC રૂમની હવામાં રહેલી ભેજ (મોઈશ્ચર) ઘટાડે છે. જ્યારે AC ખૂબ ઓછા તાપમાને ચાલે છે ત્યારે હવા વધુ સૂકી બની જાય છે.તેના કારણે ત્વચા સૂકી પડવી, ખંજવાળ આવવી અને ચામડીમાં તિરાડો પડવાની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત આંખોમાં રહેલી કુદરતી ભેજ ઘટી જતાં આંખોમાં બળતરા, લાલાશ અને ડ્રાય આઈઝની ફરિયાદ પણ વધી શકે છે.

વીજળીનું બિલ પણ વધી શકે

ઘણા લોકો માને છે કે ACને 16 ડિગ્રી પર રાખવાથી રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે અને વીજળી બચે છે. પરંતુ હકીકતમાં ACને ખૂબ ઓછા તાપમાને ચલાવવાથી કોમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે વીજળીનો વપરાશ વધી જાય છે.પરિણામે મહિનાના અંતે વીજળીનું બિલ નોંધપાત્ર રીતે વધારે આવી શકે છે.

vtv hiring

આ પણ વાંચોઃ LPG સિલિન્ડરની સબસિડીમાં કાપ! જાણીતી યોજનાના લાભાર્થીને કેન્દ્ર સરકારનો ઝટકો

AC માટે યોગ્ય તાપમાન કેટલું?

ડોક્ટરો અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) મુજબ AC માટે 24થી 26 ડિગ્રી તાપમાન સૌથી યોગ્ય અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.શરીર પર કોઈ નકારાત્મક અસર થતી નથી.રૂમમાં આરામદાયક ઠંડક જળવાઈ રહે છે.વીજળીનો ખર્ચ ઓછો થાય છે.ACની કાર્યક્ષમતા પણ સારી રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

summer health tips AC side effects AC temperature
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ