આધાર આપનાર સંસ્થા UIDAIએ એક મોટો ખુલાસો કરતા એવું જણાવ્યું કે તમામ પ્રકારની સરકારી સબસિડી અને લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.
આધાર સંસ્થા UIDAIએ કરી મોટી જાહેરાત
સરકારી લાભ અને સબસિડી લેવા આધાર કાર્ડ ફરજિયાત
આધાર નંબર વગર નહીં લઈ શકાય કોઈ સરકારી લાભ
UIDAIએ તમામ મંત્રાલયો અને વિભાગોને આપ્યો આદેશ
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર અનુસાર, જો તમારી પાસે આધાર નંબર અથવા નોંધણી સ્લિપ ન હોય, તો તમે સરકારની સબસિડી અને લાભો મેળવવા માટે હકદાર ન હોઈ શકો.
યુઆઈડીએઆઈએ ગયા અઠવાડિયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારોને એક પરિપત્ર જારી કર્યો હતો.
Aadhaar number mandatory to get govt benefits-subsidies: UIDAI
11 ઓગસ્ટે આધાર ઓથોરિટીએ બહાર પાડ્યો હતો પરિપત્ર
સરકારી લાભ અને સબસિડી લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત હોવાનું આધાર ઓથોરિટીએ 11 ઓગસ્ટે જારી કરેલા એક પરિપત્રમાં જણાવાયું હતું.
આધાર નંબર ન તેઓ સરકારી સબસિડી કે લાભ ન લઈ શકે
આધાર ઓથોરિટીના પરિપત્રમાં એવું પણ જણાવાયું હતું કે જે લોકો પાસે આધાર નંબર નથી અને જે લોકો પાસે આધાર નંબર નથી અને સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી અને લાભોનો લાભ લઈ રહ્યા છે તેમના માટે આધારના નિયમોને કડક બનાવવા માટે આ પરિપત્ર 11 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર જે લોકો પાસે આધાર નંબર નથી તેઓ સરકારી લાભ કે સબસિડી લેવા હકદાર નથી.
તમામ મંત્રાલયો અને વિભાગોને આદેશ
આધાર ઓથોરિટીએ તમામ મંત્રાલયો અને વિભાગોને પણ આ આદેશની જાણ કરી દીધી છે. યુઆઈડીએઆઈ દ્વારા 11 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, આધાર કાયદાની કલમ 7માં હાલની જોગવાઈ છે, જે વ્યક્તિને આધાર નંબર સોંપવામાં આવ્યો ન હોય તેવી વ્યક્તિને "ઓળખના વૈકલ્પિક અને વ્યવહારિક માધ્યમો દ્વારા" લાભો, સબસિડી અને સેવાઓનો લાભ લેવાની સુવિધા પૂરી પાડે છે.