બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તરસ લાગતાં પાણીને પરબે પહોંચ્યાં, મધમાખી કરડતાં મોત, હોસ્પિટલ પહોંચતાં પહેલાં તોડ્યો દમ
Last Updated: 04:56 PM, 2 February 2026
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં દુઃખદ ઘટના બનવા પામી છે. જેમાં ટીંબી ગામથી ગઢતા પરત ફરી રહેલા યુવકને રસ્તામાં મધમાખી કરડતા તેનું મોત નિપજ્યું હતું. હેર સલૂન ચલાવી પરિવારનું પાલન પોષણ કરતા યુવકના અકાળે અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ગઢતાના વાઢાચોક વિસ્તારમાં રહેતા નાસીરભાઈ ફિરોજભાઈ ચૌહાણ (ઉ.વર્ષ.30) તેમના પિતા સાથે બાઈક પર ટીંબી ગામથી ગઢડા તરફ આવી રહ્યા હતા. તે દરમ્યાન તેમને તરસ લાગતા તેઓ પાણી પીવા માટે રસ્તામાં એક પરબ પર ગયા હતા. જ્યાં તેઓને અચાનક એક મખમાખી કરડી હતી.

ADVERTISEMENT
108 મારફત સારવાર અર્થે ખસેડાયા
મધમાખી કરડ્યા પછી નસીરભાઈની તબિયત અચાનક લથડી હતી જે બાદ તેઓને તાત્કાલીક 108 મારફતે સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબોએ તેમની તપાસ હાથ ધરી તેઓને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT

મધમાખીના ઝેરનું રિએક્શનની ગંભીર અસર
ADVERTISEMENT
આ બાબતે મેડિકલ ઓફીસરે જણાવ્યું હતું કે, યુવકને મધમાખી કરડતા તેને મધમાખીના ઝેરનું રિએક્શનની ગંભીર અસરના કારણે યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. પરિવારજનોએ મૃતદેહનું પીએમ કરવાનો ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢ કોર્ટથી લઇને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ થઇ દોડતી
ADVERTISEMENT
સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ
મૃતક નાસીરભાઈ હેર સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં એક જ કમાનાર વ્યક્તિ હોઈ તેઓનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નાસીરભાઈના નિધનથી પરિવારનો માળો વિખરાઈ જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.