બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં કરૂણાંતિકા, પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે દીકરીના મોત
આ ઘટના આડેસર ગામમાં બન્યો છે, જ્યાં 28 વર્ષની રૈયાબેન મકવાણા પોતાની બે નાની દીકરીઓ સાથે રહેતી હતી. ઘરના આંગણામાં રમતાં રમતાં 5 વર્ષની પુત્રી આરવી અચાનક પાણીના ટાંકામાં ખાબકી ગઈ. બાળકીને પાણીમાં પડતી જોઈને માતા પણ એક ક્ષણનો વિચાર કર્યા વગર ટાંકામાં કૂદી પડી. દીકરીને બચાવવા જતા માતાનું પણ મોત નીપજ્યુ હતું.
ADVERTISEMENT
આ વચ્ચે બીજી દીકરી, નાની આયુશી ઉંમર આશરે 3 વર્ષ, પણ માતા અને બહેનને શોધતા ટાંકાની આજુબાજુ આવી ગઈ. તે પણ કઈ રીતે પાણીની નજીક આવી ગઈ તે કોઈને ખબર નહીં પડી, પરંતુ દુર્ભાગ્યવશ તે પણ પાણીમાં ખાબકી ગઈ. ત્રણેય રૈયાબેન અને તેમની બંને દીકરીઓ આરવી અને આયુશી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યાં.
ઘટનાની જાણ થતાં ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ. પાડોશીઓએ ટાંકામાંથી ત્રણેને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યા હાજર ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT

આડેસર પોલીસ મથકે આ બનાવ અંગે “અકસ્માતે મોત” તરીકે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે ટાંકીની સુરક્ષા માટે જરૂરી ઢાંકણ કે રક્ષણ વ્યવસ્થા હતી કે નહીં.
ADVERTISEMENT
વધુ વાંચો: ભાડૂઆત મકાનની માલિકીને પડકારી શકે કે નહીં? સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો મોટો ચુકાદો
આ ઘટના દરેક માટે ચેતવણીરૂપ છે કે ઘરમાં કે આંગણામાં ખુલ્લા પાણીના ટાંકા હોય તો તેની સુરક્ષા માટે યોગ્ય ઢાંકણ કે રક્ષણ વ્યવસ્થા જરૂર રાખવી જોઈએ. એક નાની બેદરકારી કેટલા જીવ લઇ શકે છે, તેનો આ બનાવ જીવંત ઉદાહરણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.