બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

ભારતને પાકિસ્તાન સાથે કોઈ દુશ્મની નથી
ADVERTISEMENT
શોએબ અખ્તરે કહ્યું, 'મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે તેઓની પાકિસ્તાન સાથે કોઈ દુશ્મની છે અથવા તેઓ કોઈપણ પ્રકારનું યુદ્ધ ઇચ્છે છે, પરંતુ જ્યારે પણ હું તેમના ટીવી ચૅનલો જોઉં છું ત્યારે લાગે છે કે આવતીકાલે જ યુદ્ધ થવા જઈ રહ્યું છે.'
અખ્તરે કહ્યું, 'હું ભારતમાં ઘણા સ્થળોએ ગયો છું અને તે દેશને ખૂબ નજીકથી જોયો છે. આજે હું કહી શકું છું કે ભારત પાકિસ્તાન સાથે કામ કરવા મરી રહ્યું છે.
ADVERTISEMENT
કોરોનાવાયરસના મુદ્દે પૂર્વ પૂર્વ બોલરે કહ્યું કે, 'હું આશા રાખું છું કે ભારત આ નુકસાન નહીં થવા દે. તેઓ વધુ સારું કરે, પરંતુ આ સમયે જે કંઈ થઈ રહ્યું છે તે ખૂબ જ કમનસીબ છે.
.jpg)
ADVERTISEMENT
કોરોના ફેલાવવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યો
શોએબ અખ્તરે આજના હાલાતો માટે ચીનને દોષી ઠેરવ્યું હતું. તેણે યુ-ટ્યુબ ચેનલ પર વીડિયો શેર કરીને ચીન પર કટાક્ષ કર્યો છે. શોએબ અખ્તરે કહ્યું, "તમારે ચામાચીડિયું ખાવાની કે તેનું લોહી અને પેશાબ પીવાની શું જરૂર છે."
ADVERTISEMENT
શોએબ અખ્તરે કહ્યું, 'આને કારણે આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. હું ચીની લોકો વિશે જ વાત કરું છું. તેઓએ આખી દુનિયાને મુશ્કેલીમાં મુકી દીધી છે. મને સમજાતું નથી કે તમે કેવી રીતે ચામાચીડિયાં, કૂતરા અને બિલાડીઓ ખાઈ શકો છો. હું ખરેખર ખૂબ ગુસ્સે છું.'
શોએબ અખ્તરે એમ કહ્યું કે, ' આખી દુનિયામાં ભય ફેલાઈ ગયો છે. પર્યટનને મોટો ઝટકો લાગ્યો છે. અર્થવ્યવસ્થા પર પણ ખૂબ ખરાબ અસર પડી છે અને આખી દુનિયા કેદ થઈ રહી છે. અખ્તરે કહ્યું, 'હું ચીની લોકોની વિરુદ્ધ નથી, પણ હું આ પ્રકારની જીવનશૈલીની વિરુદ્ધ છું. હું સમજી શકું છું કે તે તેમની સંસ્કૃતિ હોઈ શકે છે, પરંતુ તમને તેનો ફાયદો નથી થઈ રહ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.