બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Manisha Jogi
Last Updated: 01:58 PM, 5 March 2024
આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. આ દિવસે તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ રહે છે. અહીંયા અમે તમને છત્તીસગઢના કાશી તરીકે ઓળખાતા ખરૌદનગર વિશે જણાવી રહ્યા છે. અહીંયા એક ઐતિહાસિક શિવલિંગ આવેલું છે, જેને લક્ષ્મણેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આ શિવલિંગમાં સવા લાખ છિદ્ર છે, જેના કારણે તેને લખનેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં લાખને લક્ષ કહેવામાં આવે છે. આ કારણોસર આ શિવલિંગનું અન્ય એક નામ લક્ષલિંગ પણ છે. લક્ષલિંગના દર્શનથી તમામ મનોકામના પૂર્ણ થાય છે, જે જમીનથી 30 ફૂટ ઉપર આવેલું છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરથી 120 કિલોમીટર દૂર જાંજગીર-ચાંપા જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર ખરૌદનગરમાં લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન રામે આ સ્થળ પર ખર તથા દૂષણનો વધ કર્યો હતો. આ કારણોસર આ જગ્યાનું નામ ખરૌદ રાખવામાં આવ્યું છે. પ્રાચીનકાળથી ખરૌદ નગરમાં અનેક મંદિરની હાજરીને કારણે તેને છત્તીસગઢ પણ કહેવામાં આવે છે. લક્ષ્મણેશ્વર મહાદેવના આ મંદિરમાં મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં મેળો લાગે છે અને ભારે ભીડ રહે છે.
ભગવાન લક્ષ્મણે સ્થાપના કરી હતી
ભગવાન લક્ષ્મણે આ શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગમાં સવા લાખ છિદ્ર છે. આ કારણોસર આ શિવલિંગને લક્ષલિંગ કહેવામાં આવે છે. વિશ્વભરમાં માત્ર આ એક શિવલિંગ એવું છે, જેને સ્વયંભૂ કહેવામાં આવે છે. આ શિવલિંગમાં ગંગા, યમુના અને સરસ્વતી બિરાજમાન છે. આ શિવલિંગમાં એક છિદ્રપાતાલગામી છે, જેમાં ગમે તેટલું પાણી નાખો તે પાણી તેમાં સમાઈ જાય છે. આ એક છિદ્ર અક્ષય કુંડ છે, જેમાં પાણી હંમેશા ભરાયેલું જ રહે છે. બારેમાસ પાણીનું સ્તર આટલું જ રહે છે. આ શિવલિંગ જમીનથી 30 ફૂટ ઉપર છે.
આ મંદિરમાં લક્ષ ચાવલ ધરાવવામાં આવે છે
આ શિવલિંગમાં સવા લાખ છિદ્ર હોવાને કારણે મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં આ મંદિરમાં સવા લાખ ચોખા ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે એક કપડાંની થેલીમાં સવા લાખ ચોખા ભરીને ચઢાવે છે.
વધુ વાંચો: આ 4 રાશિના જાતકો હવે ફાવી જશે, આગામી 72 કલાકમાં જ આ બે ગ્રહોનું થશે રાશિ પરિવર્તન
લાખો શ્રદ્ધાળુઓની ભીડ
મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે. દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને હર હર મહાદેવના નારા ગુંજે છે. આ મંદિરમાં શિવલિંગના દર્શન, પૂજા અને અભિષેક કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શિવલિંગ પર જળ ચઢાવવાથી સવા લાખ શિવલિંગના દર્શન કરવા બરાબર પુણ્ય મળે છે. મહાશિવરાત્રીના દિવસે ભક્તો ગંગાજળથી શિવજીનો અભિષેક કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો