બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / world only shivalinga with one lakh twenty five thoushand every wish offering rice

આસ્થા / વિશ્વનું એક માત્ર શિવલિંગ, જેની પર છે સવા લાખ છીદ્ર, જ્યાં આ એક ચીજ ચડાવવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

Vikram Mehta

Last Updated: 01:58 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહીંયા એક ઐતિહાસિક શિવલિંગ આવેલું છે, જેને લક્ષ્મણેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આ શિવલિંગમાં સવા લાખ છિદ્ર છે, જેના કારણે તેને લખનેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં લાખને લક્ષ કહેવામાં આવે છે. આ કારણોસર આ શિવલિંગનું અન્ય એક નામ લક્ષલિંગ પણ છે.

આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. આ દિવસે તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ રહે છે. અહીંયા અમે તમને છત્તીસગઢના કાશી તરીકે ઓળખાતા ખરૌદનગર વિશે જણાવી રહ્યા છે. અહીંયા એક ઐતિહાસિક શિવલિંગ આવેલું છે, જેને લક્ષ્મણેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આ શિવલિંગમાં સવા લાખ છિદ્ર છે, જેના કારણે તેને લખનેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં લાખને લક્ષ કહેવામાં આવે છે. આ કારણોસર આ શિવલિંગનું અન્ય એક નામ લક્ષલિંગ પણ છે. લક્ષલિંગના દર્શનથી તમામ મનોકામના પૂર્ણ થાય છે, જે જમીનથી 30 ફૂટ ઉપર આવેલું છે. 

છત્તીસગઢની રાજધાની રાયપુરથી 120 કિલોમીટર દૂર જાંજગીર-ચાંપા જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર ખરૌદનગરમાં લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન રામે આ સ્થળ પર ખર તથા દૂષણનો વધ કર્યો હતો. આ કારણોસર આ જગ્યાનું નામ ખરૌદ રાખવામાં આવ્યું છે. પ્રાચીનકાળથી ખરૌદ નગરમાં અનેક મંદિરની હાજરીને કારણે તેને છત્તીસગઢ પણ કહેવામાં આવે છે. લક્ષ્મણેશ્વર મહાદેવના આ મંદિરમાં મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં મેળો લાગે છે અને ભારે ભીડ રહે છે.

ભગવાન લક્ષ્મણે સ્થાપના કરી હતી
ભગવાન લક્ષ્મણે આ શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગમાં સવા લાખ છિદ્ર છે. આ કારણોસર આ શિવલિંગને લક્ષલિંગ કહેવામાં આવે છે. વિશ્વભરમાં માત્ર આ એક શિવલિંગ એવું છે, જેને સ્વયંભૂ કહેવામાં આવે છે. આ શિવલિંગમાં ગંગા, યમુના અને સરસ્વતી બિરાજમાન છે. આ શિવલિંગમાં એક છિદ્રપાતાલગામી છે, જેમાં ગમે તેટલું પાણી નાખો તે પાણી તેમાં સમાઈ જાય છે. આ એક છિદ્ર અક્ષય કુંડ છે, જેમાં પાણી હંમેશા ભરાયેલું જ રહે છે. બારેમાસ પાણીનું સ્તર આટલું જ રહે છે. આ શિવલિંગ જમીનથી 30 ફૂટ ઉપર છે. 

આ મંદિરમાં લક્ષ ચાવલ ધરાવવામાં આવે છે
આ શિવલિંગમાં સવા લાખ છિદ્ર હોવાને કારણે મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં આ મંદિરમાં સવા લાખ ચોખા ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે એક કપડાંની થેલીમાં સવા લાખ ચોખા ભરીને ચઢાવે છે. 

વધુ વાંચો: આ 4 રાશિના જાતકો હવે ફાવી જશે, આગામી 72 કલાકમાં જ આ બે ગ્રહોનું થશે રાશિ પરિવર્તન

લાખો શ્રદ્ધાળુઓની ભીડ
મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે. દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને હર હર મહાદેવના નારા ગુંજે છે. આ મંદિરમાં શિવલિંગના દર્શન, પૂજા અને અભિષેક કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શિવલિંગ પર જળ ચઢાવવાથી સવા લાખ શિવલિંગના દર્શન કરવા બરાબર પુણ્ય મળે છે. મહાશિવરાત્રીના દિવસે ભક્તો ગંગાજળથી શિવજીનો અભિષેક કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Chattishgadh Shivalinga lakshmaneshwar mahadev shivaling છત્તીસગઢ લક્ષ્મણેશ્વર મહાદેવ શિવલિંગ સવા લાખ છિદ્ર શિવલિંગ shivaling
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ