બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Why Swaminarayan sect is bigger than religion? Why the effort to show Hanumanji low?
Vishal Khamar
Last Updated: 03:50 PM, 1 September 2023
સૌના આરાધ્ય, અબાલ-વૃદ્ધ સૌ કોઈના પ્રિય એવા હનુમાનજીને નીચા બતાવવાનો આજકાલ પ્રયાસ ચાલી રહ્યો છે. આ પ્રયાસ પણ અનેક અનુયાયીઓ ધરાવતો સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ ધર્મ કે હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના અપમાનના કિસ્સા થોડા સમયથી વધ્યા છે. પણ પ્રશ્ન એ છે કે આવું કેમ થઈ રહ્યું છે. ક્યારેક હનુમાનજીને સહજાનંદ સ્વામી સમક્ષ હાથ જોડતા બતાવાય છે. તો કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ ઉપર સ્વામિનારાયણનું તિલક કરવામાં આવે છે. તો કુંડળ મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના ચરણોમાં હાથ જોડીને બેઠેલા દર્શાવાય છે.
અહીં વિનમ્રભાવે એક જ સવાલ પૂછવો છે કે શ્રીરામ સિવાય હનુમાનજી કોઈના પણ દાસ નથી. એટલી સાદી વાત સંપ્રદાયના સંતોને અને તેના અનુયાયીઓને સમજાતી નથી કે પછી સમજવા માંગતા નથી?. હનુમાનજી તો ભગવાન શિવના અવતાર છે અને આદિ અનાદિ કાળથી છે તો પછી તેમને નીચા બતાવીને તમે ઉંચા થઈ જશો એવુ તમે માનો છો?. સનાતન ધર્મને આજ સુધી તો ઉની આંચ નથી આવી તો આપની આવી હરકતોથી સનાતન ધર્મને તમે નીચો પાડશો?. આવા વિવાદનો સૌ સાથે મળીને ઉકેલ કેમ ન લાવે, સૌ એક છે, અને સૌ સમાન છે એવુ શા માટે કોઈ નથી વિચારતું. એક સંપ્રદાય, ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને ધર્મથી મોટો કેમ સમજે છે અથવા તો ચિતરે છે.
સ્નામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીને નીચા બતાવવાનો પ્રયાસ અટક્યો નથી. આ બાબતે સાળંગપુર મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ શમ્યો નથી. ફરી એકવાર હનુમાનજીનું અપમાન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મનાં અપમાનની કુચેષ્ટા વારંવાર કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આવા પ્રયાસ વધ્યા છે. હનુમાનજીનાં અપમાનથી સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિવાદ નં.1
ભીંતચિત્રમાં હનુમાનજી સહજાનંદ સ્વામીને હાથ જોડતી મુદ્રામાં
વિવાદ નં.2
`કિંગ ઓફ સાળંગપુર'ની મૂર્તિને સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક
વિવાદ નં.3
કુંડળ મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના ચરણોમાં બેઠેલા દર્શાવ્યા
દાદા માત્ર શ્રીરામના જ દાસ
દેવાધિદેવ મહાદેવે વિષ્ણુ ભગવાનને વચન આપ્યું હતું. શંકર ભગવાને વિષ્ણુ ભગવાનને વચન આપ્યું હતું કે તેઓ તેમના દાસ બનશે. ત્રેતાયુગમાં મહાદેવે પોતાનું વચન પાળ્યુ. ભગવાન શંકર પૃથ્વી ઉપર હનુમાનજીના સ્વરૂપે અવતર્યા છે. હનુમાનજીને રુદ્રના 11માં અવતાર ગણવામાં આવે છે. હનુમાનજી ભગવાન શ્રીરામના દાસ બન્યા. શ્રીરામને તમામ સંકટમાંથી હનુમાનજીએ સેવક બનીને ઉગાર્યા છે.
આક્રોશ ભારે પડશે!
જયરામદાસ, મહંત, કટાવધામ
હરી આનંદ બાપુ, મહંત, ભારતી આશ્રમ
ઈન્દ્ર ભારતી બાપુ, મહંત, રુદ્રેશ્વર આશ્રમ
અશ્વિન પાઠક, વક્તા, સુંદરકાંડ
વિશ્વેશ્વરી ભારતી, મહામંડલેશ્વર
યતી બ્રહ્મદેવ મહારાજ
ઋષી ભારતી બાપુ, મહંત, લંબે નારાયણ આશ્રમ
દિલીપદાસજી મહારાજ, મહંત, જગન્નાથ મંદિર
ડૉ.જ્યોતિર્નાથ મહારાજ, ધર્મગુરુ
રાજભા ગઢવી, લોકસાહિત્યકાર
દેવરાજ ગઢવી, લોકસાહિત્યકાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog