બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:45 AM, 7 September 2025
Lunar Eclipse 2025: વર્ષ 2025 નું બીજું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. ભારતીય સમય મુજબ, ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 09.58 વાગ્યે શરૂ થશે અને ગ્રહણ રાત્રે 01.26 વાગ્યે સમાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ એક અદ્ભુત ખગોળીય ઘટના છે, પરંતુ તેના વિશે અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ (દંતકથાઓ) પ્રચલિત છે. તો આ અંધશ્રદ્ધા અંગે વિજ્ઞાન શું કહે છે તે જાણવું ખુબ જ રસપ્રદ છે.
ADVERTISEMENT
Science : વિજ્ઞાન મુજબ, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળતા નથી. બાળકના શરીરની રચના ગ્રહણ દ્વારા નહીં, પરંતુ ગર્ભાશયમાં ડીએનએ અને વિકાસ પ્રક્રિયા દ્વારા નક્કી થાય છે.
ADVERTISEMENT
Science : ગ્રહણનો ખોરાક પર કોઈ પ્રભાવ પડતો નથી. પહેલાના સમયમાં, લોકો ખોરાક બચાવવા માટે સાવચેતી રાખતા હતા (કારણ કે રેફ્રિજરેટર વિના, ખોરાક ઝડપથી બગડી જતો હતો), જેના કારણે આ માન્યતા પ્રવર્તતી હતી.
ADVERTISEMENT
Science: સૂર્યગ્રહણ જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે. સલામતી ચશ્મા (સૌર ફિલ્ટર ચશ્મા) વગર જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે. ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સલામત છે, તે નરી આંખે પણ જોઈ શકાય છે.
ADVERTISEMENT
Science: તેની કોઈ અસર થતી નથી. આ બધી અંધશ્રદ્ધા છે.
ADVERTISEMENT
Science: આ એક ધાર્મિક માન્યતા છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, ગ્રહણનો માનવ કાર્યો સાથે કોઈ સંબંધ નથી.
ADVERTISEMENT
Science: ગ્રહણ એક ખગોળીય ઘટના છે, તેનો કુદરતી આફતો સાથે કોઈ સીધો સંબંધ નથી.
Science: આ અંગે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. જો લોકો બીમાર લાગે છે, તો તે ભય અને માન્યતા (પ્લેસબો અસર) ને કારણે છે.
પ્લેસબો અસર શું છે
પ્લેસબો અસરનો અર્થ છે - જ્યારે કોઈ વ્યક્તિ માને છે કે તે બિમાર પડી રહ્યો છે તો તે બિમાર પડવા લાગે છે અને તેવી જ રીતે તે માને કે તેની સારવાર કરવામાં આવી છે, તો ફક્ત તે માન્યતાને કારણે જ તેના સ્વાસ્થ્ય અથવા લક્ષણોમાં સુધારો દેખાવા લાગે છે. ભલે વાસ્તવિક દવા અથવા સારવાર કરવામાં ન આવી હોય. ઉદાહરણ તરીકે, દર્દીને ખાંડની ગોળી (જેમાં કોઈ દવા નથી) આપવામાં આવી હતી અને તેને કહેવામાં આવ્યું હતું કે તે માથાના દુખાવાની દવા છે. દર્દીનો માથાનો દુખાવો ઓછો થયો કારણ કે તે માનતો હતો કે તેણે અસરકારક દવા લીધી છે. તે દવાની અસર નથી, પરંતુ દવા પર માન્યતાની અસર છે, આ પ્લેસબો અસર છે.
માન્યતા આધારિત
ગ્રહણ સંબંધિત મોટાભાગની બાબતો ફક્ત પરંપરા અને માન્યતાઓ પર આધારિત છે. વિજ્ઞાન અનુસાર, તે ફક્ત સૂર્ય, પૃથ્વી અને ચંદ્રનું સંરેખણ (એલાઇનમેન્ટ) છે, જેનો માનવ સ્વાસ્થ્ય, સગર્ભા સ્ત્રીઓ અથવા ખોરાક અને પીણા પર કોઈ પ્રભાવ પડતો નથી તેવું વૈજ્ઞાનિકો માને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.