બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વરસાદમાં કારના ટાયર માટે નોર્મલ હવા કે નાઇટ્રોજન ,કયું વધુ સુરક્ષિત અને ફાયદાકારક?

photo-story

5 ફોટો ગેલેરી

Monsoon Car Tips / વરસાદમાં કારના ટાયર માટે નોર્મલ હવા કે નાઇટ્રોજન ,કયું વધુ સુરક્ષિત અને ફાયદાકારક?

Last Updated: 04:45 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોન્સૂનમાં ટાયરમાં નાઇટ્રોજન ભરાવવાથી પ્રેશર સ્થિર રહે છે, ભેજથી બચાવ થાય છે અને ભીના રસ્તા પર ગ્રિપ તથા સુરક્ષા વધે છે. ચાલો તેના વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. વરસાદની ઋતુમાં ટાયર

વરસાદની ઋતુમાં ભીની સડકો પર ગાડી ચલાવતી વખતે ટાયરની ગ્રિપ અને સંતુલન સૌથી વધુ મહત્વનું બની જાય છે. આવા સમયે ટાયરમાં ભરાતી હવા પણ સીધી સુરક્ષા પર અસર કરી શકે છે. સામાન્ય હવા અને નાઇટ્રોજન વચ્ચેનો તફાવત ચોમાસામાં વધુ મહત્વપૂર્ણ બની જાય છે. જેમાં તાપમાનના ફેરફાર, ભેજ અને ટાયર પ્રેશરને ધ્યાનમાં રાખતાં નાઇટ્રોજન ઘણી વાર વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મોન્સૂનમાં ટાયરનું બિહેવ કેમ થાય છે ચેન્જ?

વરસાદના સમયમાં તાપમાન ઝડપથી ઉતર-ચઢ કરતું રહે છે. આની સીધી અસર ટાયરના પ્રેશર પર પડે છે. સામાન્ય હવા તાપમાન બદલાતાં જલ્દી ફૂલે છે અને સંકોચાય છે, જેથી ટાયરનું પ્રેશર વારંવાર ઓછું-વધુ થતું રહે છે. તેની સરખામણીમાં નાઇટ્રોજન પર તાપમાનની અસર ઘણી ઓછી હોય છે. એટલે નાઇટ્રોજન ભર્યા બાદ ટાયરનું પ્રેશર લાંબા સમય સુધી સ્થિર રહે છે, જે મોન્સૂનમાં સુરક્ષિત ડ્રાઇવિંગ માટે ખૂબ મદદરૂપ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ભેજથી બચાવમાં નાઇટ્રોજનનો ફાયદો

સામાન્ય હવામાં ભેજ હોય છે અને વરસાદની ઋતુમાં આ ભેજ વધુ વધી જાય છે. આ જ ભેજ રિમમાં કાટ લાગવાનું કારણ બની શકે છે અને ટાયરના રબરને અંદરથી નુકસાન પહોંચાડી શકે છે. બીજી તરફ નાઇટ્રોજન સૂકી વાયુ છે, તેમાં ભેજ હોતો નથી. એટલે રિમમાં કાટ લાગવાનો ખતરો ઘટે છે. સાથે જ ટાયરનું પ્રેશર સાચું રહેતાં ભીની સડકો પર ગાડીની ગ્રિપ વધુ સારી રહે છે અને સ્લિપ થવાનું જોખમ પણ ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સામાન્ય હવાના બેનીફીટ અને લીમીટેશન્સ

સામાન્ય હવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે નાના-મોટા પેટ્રોલ પંપ અને પંક્ચરની દુકાનો પર સહેલાઈથી અને મફત મળી જાય છે. પરંતુ વરસાદમાં સામાન્ય હવા ભરાવતી વખતે તેની સાથે ભેજ પણ ટાયરની અંદર જાય છે. આથી ટાયરનું તાપમાન વધી શકે છે અને પ્રેશરમાં ઝડપી ઉતાર-ચઢાવ જોવા મળે છે. એટલે મોન્સૂન દરમિયાન સામાન્ય હવાની સરખામણીમાં નાઇટ્રોજન વધુ સ્થિર અને વિશ્વસનીય ઓપ્શન માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વરસાદમાં કયો ઓપ્શન વધુ સેફ ?

ઉપરના તથ્યો મુજબ વરસાદ અને ચોમાસાની ઋતુમાં ટાયરોમાં નાઇટ્રોજન ગેસ ભરાવવી વધુ સુરક્ષિત અને ફાયદાકારક માનવામાં આવે છે. આથી ટાયરની આયુ વધે છે, રિમ કાટથી બચે છે અને ભીની સડકો પર ગાડીનું બેલેન્સ વધુ સારું રહે છે. સ્થિર ટાયર પ્રેશરને કારણે ડ્રાઇવિંગ દરમિયાન સુરક્ષા પણ વધુ સારી બની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

wet roads nitrogen tires grip
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ