રાજીવે જણાવ્યું કે મને જાણ કર્યા વગર જ બારોબાર મારો વિભાગ બદલી નાખવામાં આવ્યો
રાજીવ બેનરજીના ભાજપમાં સામેલ થવાની ચર્ચા
વિભાગ બદલાતા નારાજ થયેલા પશ્ચિમ બંગાળના વન મંત્રી રાજીવ બેનરજીએ શુક્રવારે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજિબે જ્યારે શુક્રવારે મીડિયા સામે રાજીનામાનું કારણ જણાવ્યું ત્યારે તેઓ ભાવુક થઈને રડી પડ્યાં હતા અને મીડિયાની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
રાજીવે જણાવ્યું કે મને જાણ કર્યા વગર જ બારોબાર મારો વિભાગ બદલી નાખવામાં આવ્યો અને તેને કારણે તેઓ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાજિબ 2021 માં ટીએમસી સરકાર છોડી જનાર ત્રીજા મંત્રી છે. ટીએમસીના ઘણા નેતાઓ તાજેતરમાં ભાજપમાં સામેલ થયા છે.
વિભાગ બદલાતા નારાજ હતા મંત્રી
જોકે રાજીવે એવું નથી જણાવ્યું કે તેઓ ભાજપમાં સામેલ થવાના છે કે નહીં. રાજ્યપાલ જગદીશ ધનખડેને રાજીનામુ સોંપતી વખતે તેમણે કહ્યું કે મારી જાણ બારોબાર જ મને સિંચાઈ ખાતામાંથી ખસેડીને વન વિભાગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો. મેં શરૃઆતમાં કોઈ નિર્ણય લીધો નહોતો કારણ કે સિનિયર નેતાઓએ મને રોકી રાખ્યો હતો પરંતુ હવે મને રાજીનામુ આપવાની ફરજ પડી છે. મારો વિભાગ બદલાયો તેનું મને દુખ નથી પરંતુ જે રીતે બદલાયો તેની સામે મારો વાંધો છે. હું લોકો માટે કામ કરતો રહીશ.
રાજીવ બેનરજીના ભાજપમાં સામેલ થવાની શક્યતા રહેલી છે. જોકે હજુ સુધી તેમના ભાજપમાં જોડાવાની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. કારણ કે ચાલુ મહિનાના અંતે હાવડામાં અમિત શાહની રેલી થવાની છે અને ત્યારે તેઓ ભાજપમં સામેલ થાય તેવી ચર્ચા ચાલી રહી છે.