બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Dinesh
Last Updated: 11:20 AM, 9 March 2023
દર વર્ષની જેમ આ વર્ષે પણ થશે પાણીની પારાયણ!
ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પારાયણ થશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. રાજ્યના ડેમમાં જળસ્તર નીચા જઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં 13 ડેમોમાંથી 6 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. બાકીના અન્ય ડેમમાં પાણીનો 30 ટકા જેટલો જ જથ્થો બચ્યો છે. આ કારણોસર ખેડૂતોએ સરકાર પાસે જે ડેમ સૌની યોજના સાથે જોડાયેલ તે ડેમને સૌની યોજના સાથે જોડવા માટે માંગ કરી છે.
ડેમમાં પાણીનો સીમિત જથ્થો જ બાકી
ભાવનગરના શેત્રુંજ્ય ડેમમાં પાણીનો 50 ટકા જથ્થો બાકી રહ્યો છે. આ શેત્રુંજ્ય જળસિંચાઈ યોજના ભાવનગર જિલ્લાની આધારભૂત યોજના છે. શેત્રુંજ્ય ડેમનું જળસ્તર ચિંતાનું કારણ બન્યું નથી, પરંતુ 12 જેટલા ડેમમાં પાણીનો 30 ટકા જથ્થો જ બચ્યો છે, આ કારણોસર ખેડૂતોમાં ઉનાળુ પાકની વાવણી માટે ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ નાગરિકોમાં પાણી બાબતે ચિંતા ઊભી થઈ છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો 6 જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાયા ન હતા, જેથી આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ આ ડેમ ખાલી થઈ ગયા છે. અન્ય ડેમમાં પાણીનો સીમિત જથ્થો જ બાકી રહ્યો છે, જે થોડા દિવસ સુધી જ ચાલી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો અને નાગરિકોએ ખાલી થયેલ ડેમને સૌની યોજના સાથે જોડીને તેમાં પાણી ઠાલવવાની માંગ કરી છે.
મોટાભાગના ગામડાઓમાં સિંચાઈ આધારિત ખેતી
ભાવનગર જિલ્લામાં કુલ 13 ડેમ આવેલા છે. શેત્રુંજ્ય ડેમ અનેક વાર ઓવરફ્લો થયો હતો, પરંતુ અન્ય ડેમ સંપૂર્ણપણે ભરાઈ શક્યા નથી. ખરો ડેમ, બગડ ડેમ, રોજકી ડેમ, રંઘોળા ડેમમાં પાણીનો 30 થી 40 ટકા જેટલો જ જથ્થો બાકી છે. બીજીબાજુ પીંગળી ડેમ, હણોલ ડેમ, જસપરા માંડવા ડેમ, લાખણકા ડેમ અને હમીરપર ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં સિંચાઈ આધારિત ખેતી કરવામાં આવે છે, તો કેટલાક ગામડાઓમાં વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે. ભાવનગર જિલ્લાના મોટાભાગના ડેમ સૌની યોજના સાથે જોડાયેલા નથી, જેથી ઉનાળો આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ બાબતે સિંચાઈ યોજના સાથે જોડાયેલા અધિકારીઓ જણાવી રહ્યા છે કે, જે ડેમ સૌની યોજના સાથે જોડાયેલ નથી તે ડેમને સૌની યોજના સાથે જોડવા માટેનું કામ ચાલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો