બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 08:37 AM, 27 October 2023
ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની ક્રિકેટ વર્લ્ડ કપ રમી રહી છે. વર્લ્ડકપ પછી ભારત ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 સીરિઝ રમશે. મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ T20 સીરિઝમાં ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી નિભાવી શકે છે.
વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ થઈ જશે. વર્લ્ડ કપ પછી એક સપ્તાહમાં T20 સીરિઝ શરૂ થશે. આ સીરિઝ પહેલા નવા કોચની નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ નહીં થઈ શકે થે, આ કારણોસર વીવીએસ લક્ષ્મણને T20 સીરિઝની જવાબદારી આપવામાં આવી શકે છે.
વીવીએસ લક્ષ્મણ નવા હેડ કોટના પદ માટે પ્રબળ દાવેદાર
મીડિયા રિપોર્ટ અનુસાર ‘રાહુલે જ્યારે પણ બ્રેક લીધો છે, ત્યારે વીવીએસ લક્ષ્મણ હંમેશા પ્રભારી રહ્યા છે. વર્લ્ડ કપ પછી રમવામાં આવનાર T20 સીરિઝમાં પણ આ પ્રકારે થઈ શકે છે.’ BCCIના નિયમો અનુસાર હેડ કોચ માટે ફરી એકવાર અરજી મંગાવવાની રહેશે. બોર્ડ રાહુલ દ્રવિડને હેડ કોટ માટે ફરી અરજી કરવાનું કહી શકે છે.
નવા હેડ કોટ માટે અરજી મંગાવવામાં આવશે તો લક્ષ્મણ પ્રબળ દાવેદાર રહેશે. BCCIએ એક પ્રક્રિયા બનાવી છે. જેમાં NCAના પ્રભારી અને તમામ વ્યવસ્થાની જાણકારી રાખનાર વ્યક્તિને આ પોસ્ટ માટે તૈયાર કરવામાં આવે છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થયા પછી રાહુલ દ્રવિડને હેડ કોચ બનાવવામાં આવ્યા ત્યારે તેઓ NCAની જવાબદારી સંભાળી રહ્યા હતી. લક્ષ્મણ સાથે પણ આપ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
દ્રવિડ IPLમાં વાપસી કરી શકે છે
રાહુલ દ્રવિડે IPLમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમને કોચિંગ આપ્યું છે, જે T20 લીગમાં વાપસી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં એવા ખેલાડીઓને શામેલ કરવામાં આવશે, જેમણે વેસ્ટઈન્ડિઝ અને આયર્લેન્ડ સામેની સીરિઝની સાથે સાથે એશિયન ગેમ્સમાં મેચ રમી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને બ્રેક મળી શકે છે, જેથી સાઉથ આફ્રિકા સામે રમી શકે છે. ભારતે સાઉથ આફ્રિકા સામે ત્રણ T20, ત્રણ વન ડે ઈન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમવાની છે. 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 સીરિઝ રમવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime