બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 AM, 31 January 2024
ADVERTISEMENT
દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીં મંગળવારે [30 જાન્યુઆરી] તાજેતરની હિંસામાં બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. આગચંપી અને ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત હિંસામાં ભાજપના યુવા નેતા સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફાયરિંગ બાદ ઘાયલ લોકોના સંબંધીઓ ભાગી રહ્યા છે. મહિલાઓને બચાવવા માટે લોકો બૂમો પાડી રહ્યા છે અને તેમને ખુલ્લામાં જતા અટકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, માતા ત્યાં ન જાવ, તમને ગોળી મારી દેવામાં આવશે.
બંને મૃતકોની ઓળખ
ખાનગી અહેવાલ મુજબ, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે [30 જાન્યુઆરી] બપોરે લગભગ 2.30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને કેટલાક કલાકો સુધી ચાલુ રહ્યો હતો. બંને મૃતકોની ઓળખ 33 વર્ષીય નોંગથોમ્બમ માઈકલ અને 25 વર્ષીય મીસ્નામ ખાબા તરીકે થઈ છે. 30 જાન્યુઆરીની સાંજે તેમના મૃતદેહને રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
Look at d kind of heavy fire arm Kuki militants use with their drug money to fund attack on meitei people. #MyGovIndia has been ignoring #KukiAtrocity for 9 months inspite of knowing all the fact @official_dgar @Spearcorps @NBirenSingh #AbrogateSoO #ManipurFightsBack #Manipur pic.twitter.com/czm9vni95C
— Jeff Meitei (@JeffMeitei) January 30, 2024
ADVERTISEMENT
મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં ફાયરિંગ થયું
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં ફાયરિંગ થયું હતું. ફાયરિંગની ઘટના બાદ ઓછામાં ઓછો એક વ્યક્તિ ગુમ હોવાનું પણ કહેવાય છે. આ હિંસામાં ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચા [BJYM] ના પૂર્વ અધ્યક્ષ મનોહરમયુમ બારિશ શર્મા ગોળીબારમાં ઘાયલ થયો છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
On 30.01.2024, 2(two) individuals were killed in a firing incident between armed miscreants at bordering area of Kangpokpi and Imphal West district.
— Manipur Police (@manipur_police) January 30, 2024
ADVERTISEMENT
મણિપુર પોલીસ
મણિપુર પોલીસે તેના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપી છે. એવું કહેવામાં આવે છે કે ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લાની સરહદ પર બે સમુદાયના ગ્રામીણો વચ્ચે ગોળીબાર થયો હતો. તાજેતરની હિંસા પછી, ઇમ્ફાલ ખીણના કડંગબંદ, કૌત્રુક અને કાંગચુપ ગામોમાંથી લોકો પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા હોવાના અહેવાલો છે. મંગળવારની ઘટના ઇમ્ફાલ અને કાંગપોકપી જિલ્લાઓ વચ્ચેના વિસ્તારમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચેના ગોળીબારમાં એક ગ્રામીણ માર્યા ગયાની ખબર સામે આવી છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: જનતાને કોરી ખાતો એક સવાલ! ઉપમુખ્યમંત્રીના પદ માટે બંધારણમાં કોઈ જોગવાઈ જ નથી, તો કેમ પાર્ટીઓમાં આ પદ માટે જામી હોડ
એક મહિનામાં નવ લોકોના મોત થયા છે
એક ખાનગી અહેવાલ મુજબ, મણિપુરમાં છેલ્લા એક મહિનામાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગયા વર્ષે 3 મે 2022ના રોજ રાજ્યમાં શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. રાજ્યમાં ઓછામાં ઓછા 60,000 કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી હોવા છતાં આઠ મહિનાથી વધુ સમયથી હિંસા ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.