બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 09:05 AM, 13 February 2024
વિનાયક ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે. દર મહિનામાં 3 ચતુર્થી આવે છે. એક કૃષ્ણ પક્ષ અને બીજી શુક્લ પક્ષમાં આ વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી 13 ફેબ્રુઆરીએ છે. આ ચતુર્થીને વિનાયક ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે.
આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા અને વ્રત કરવામાં આવે છે. માન્યતા અનુસાર આમ કરવાથી સાધકને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં વિનાયક ચતુર્થીના દિવસે કરવામાં આવેલા ખાસ ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે અને સાધકને તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આજના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે.
વિનાયત ચતુર્થીના ઉપાય
ભગવાન ગણેશજીને ધરો ખૂબ જ પ્રિય છે. વિનાયક ચતુર્થીના દિવસે પૂજા વખતે ધરોનો મુખ્ય રીતે પ્રયોગ કરવામાં આવે છે. પૂજા વખતે ગણેશજીને ધરો જરૂર અર્પિત કરો. આ સમયે 'श्री गणेशाय नमः दूर्वांकुरान् समर्पयामि' મંત્રનો જાપ કરો. કહેવાય છે કે આ ઉપાયને કરવાથી ગણપતિ બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
શમીના વૃક્ષની પૂજા
માન્યતા અનુસાર શમીના ઝાડની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે. એવામાં વિનાયક ચતુર્થીના અવસર પર શમીના ઝાડની પૂજા જરૂર કરો. કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા દુખ દૂર થાય છે અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.
આ મંત્રનો કરો જાપ
જો તમે ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે વિનાયક ચતુર્થીનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. આ દિવસે નીચે આપેલા મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને બધા કાર્યોમાં સફળતા મળશે.
गजाननं भूत गणादि सेवितं
कपित्थ जम्बू फल चारू भक्षणम्
उमासुतं शोक विनाशकारकम्
नमामि विघ्नेश्वर पाद पंकजम्
આ ઉપરાંત વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ગોળમાં દેસી ઘી મિક્સ કરીને ભોગ લગાવો. માન્યતા છે કે આમ કરવાથી ધનની પ્રાપ્તિ થશે.
વધુ વાંચો: આજે આ જન્મ તારીખવાળા લોકોનો 'મંગળ દિવસ', ધાર્યા કરતાં વધારે સારું મળશે
જો તમે પોતાની ઈચ્છા પુર કરવા માંગો છો તો વિનાયક ચતુર્થીના અવસર પર ગોળથી નાની નાની 21 ગોળીઓ બનાવો. ત્યાર બાદ તેને ભગવાન ગણેશને દુર્વાની સાથે અર્પિત કરો. આમ કરવાથી મનચાહી ઈચ્છા પૂરી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime