બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: PM Modi performed worship at Bat Dwarka inaugurated Sudarshan Setu know what is the specialty of the bridge
Vishal Khamar
Last Updated: 09:13 AM, 25 February 2024
દેશનાં સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 900 કરોડનાં ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો. પરંતું હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે.
બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજ વસ્તુઓનાં ભાવ પણ ઘટશે. આ સાથે સમયનો પણ બચાવ થશે. મહત્વનું છે કે 2016 માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નનેચર બ્રિજને નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી દ્વારા તા. 7 ઓક્ટોમ્બર 2017 ના દિવસે કરવામાં આવ્યું હતું.
2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ 51 સ્ટ્રેટ બ્રિજ છે. જે બેટ દ્વારકા તેમજ ઓખાને કચ્છનાં અખાતમાં જોડે છે. પીએમ મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવેશ સિગ્નેચર બ્રિજનાં ઉદ્ઘાટન સાથે દ્વારકા શહેરને એક નવું સિમા ચિહ્ન મળશે. એટલું જ નહી દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લાંબો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર,. ઓખા સાઈ ડ એપ્રોચ બ્રિજની લંબાઈ 727 મીટર, બેટ સાઈડ બ્રિજની લંબાઈ 650 મીટર. આ બ્રિજ બનતા ઓખા તેમજ બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી બોટ દ્વારા ત્યાંનાં લોકો તેમજ યાત્રીકો દ્વારા અવર જવર થાય છે તેનાં બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે.
આ બાબતે સ્થાનિક મિલન રામાવતે જણાવ્યું હતું કે આજ દિન સુધી આ ટાપુ હતો, કોઈ રસ્તા સંપર્ક ન હતો. બેટ દ્વારકા આવવું હોય તો તમે બોટ મારફતે જ આવી શકો. બીજો કોઈ રસ્તો નથી. અમને બધાને વડાપ્રધાને દ્વારકાવાસીઓને જે બ્રિજની ભેટ આપી તે બદલ તેઓનો આભાર પણ માન્યો હતો.
બોટમાં મુસાફરી માટે અંદાજે 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો. જે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યું ગેલરીની પણ સુવિધા કરેલી છે. રાહદારીઓ માટે ભગવદ ગીતાનાં શ્લોકો તેમજ કોતરણી નિહાળવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime