બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ભૂલથી પણ આ શાકભાજીને કાચી ન ખાતા નહીંતર થઈ જશે લેવાના દેવા, જાણી લેજો

સાવધાન / ભૂલથી પણ આ શાકભાજીને કાચી ન ખાતા નહીંતર થઈ જશે લેવાના દેવા, જાણી લેજો

Jinal Chauhan

Last Updated: 12:53 PM, 1 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક શાકભાજી કાચી ખાવાથી ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. કાચી શાકભાજીમાં રહેલા બેક્ટેરિયા, પરજીવી અને ઝેરી તત્વો ડાયરીયા, પેટના ચેપ અને કેટલીક ગંભીર બીમારીઓ સુધી લઈ જઈ શકે છે.

કેટલીક શાકભાજી કાચી ખાવાથી ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. કાચી શાકભાજીમાં રહેલા બેક્ટેરિયા, પરજીવી અને ઝેરી તત્વો ડાયરીયા, પેટના ચેપ અને કેટલીક ગંભીર બીમારીઓ સુધી લઈ જઈ શકે છે. છેલ્લા સમયથી ફિટનેસ અને સ્વાસ્થ્ય માટે ધ્યાન આપતા લોકો સલાડમાં વધુ શાકભાજીનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ કેટલીક શાકભાજી એવી છે જે કાચી ખાવાથી જોખમ થાય છે.

હાલમાં ફિટનેસ અને હેલ્થ માટે ધ્યાન આપતા લોકો બ્રેકફાસ્ટ લંચ અથવા ડિનરમાં સલાડ ખાઈ રહ્યા છે જેમાં અલગ-અલગ શાકભાજી હોય છે. જો કે કેટલીક શાકભાજી એવી છે જે કાચી ખાવાથી આરોગ્ય માટે જોખમ બની શકે છે. ડોક્ટર્સ અને હેલ્થ નિષ્ણાત માને છે કે કેટલીક ખાસ શાકભાજી કાચી ખાવુ ખતરનાક હોઈ શકે છે.તેમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વ દિમાગ અને પેટ બંનેને નુકસાન પહોંચાડી શકે છે.તેથી કેટલીક શાકભાજી હંમેશા રાંધીને અથવા ઉકાળી ને જ ખાવું જોઈએ.

કોબીજ

પત્તાગોભી અથવા કોબીજ માટે સૌથી વધુ સાવધાની જરૂરી છે. તેમાં ટેપવોર્મના ઈંડા હોવાની સંભાવના ઘણી વધુ હોય છે. જો આ ઈંડા તમારા બ્લડ સ્ટ્રીમમાં પહોંચી જાય તો સીધા તમારા મગજ સુધી પહોંચી શકે છે. આથી ન્યૂરોસિસ્ટિક સર્કોસિસ જેવી ગંભીર અને જીવલેણ બીમારી થઈ શકે છે જેને કારણે દુઆરા પણ પડી શકે છે. ડૉક્ટર્સની સલાહ છે કે કોબીજ હંમેશા સારી રીતે ધોઈને અને રાંધીને જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પરજીવી મરી જાય.

cabbage

રીંગણ

લોકો સામાન્ય રીતે રીંગણનું ભડથું અથવા શાક તરીકે આનંદ લઈને ખાય છે પણ તેને કાચું ક્યારેય ન ખાવું. રીંગણમાં સોલાનિન નામનું કુદરતી ઝેરી તત્વ હોય છે. કાચું ખાવાથી ઉબકા,ઊલટી અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. રીંગણ રાંધીને કે સ્ટીમ કરવાથી આ ઝેરી તત્વ પૂરેપૂરું નષ્ટ થઈ જાય છે અને તે શરીર માટે સલામત બની જાય છે. પકાવાથી બેક્ટેરિયા મારતા છે અને શાકભાજી સરળ રીતે પચે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ US-ઈઝરાયલ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત, દીકરાએ સંભાળી કમાન, સેના-મીડિયાએ કરી પુષ્ટિ

પાલક

પાલકને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ કાચું ખાવું જોખમકારક થઈ શકે છે. ડૉક્ટર્સ જણાવે છે કે પાલકમાં ઇ-કોલી જેવા ખતરનાક બેક્ટેરિયા અને ટેપવોર્મ (પરજીવી)ના ઈંડા હોઈ શકે છે જે ઘણી વખત ધોઈને પણ નષ્ટ ન થાય. કાચું પાલક ખાવાથી ડાયરીયા અને પેટના ગંભીર ચેપ થઈ શકે છે. ઉપરાંત કાચા પાલકમાં ઓક્સલેટ્સની માત્રા વધારે હોવાથી કિડની પથરીનો ખતરો પણ વધી શકે છે. તેથી પાલક હંમેશા ઉકાળીને કે સારી રીતે પકાવીને જ ખાવું સલામત છે.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cabbage raw vegetable risks spinach
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ