બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિરપરડા ગામના કૂવાનું પાણી હિલોળે કેમ ચડ્યું? કારણ તપાસવા મોરબી પહોંચી વૈજ્ઞાનિકોની ટીમ
Last Updated: 07:12 PM, 10 August 2026
મોરબી જિલ્લાના વિરપરડા ગામે કૂવાના પાણીમાં રહસ્યમય રીતે હિલોળા મારવાની ઘટનાએ સ્થાનિકોમાં કુતૂહલ જગાવ્યું છે. ઘટનાની હકીકત જાણવા હવે કેન્દ્ર સરકારની વૈજ્ઞાનિક સંસ્થા **જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)**ની ટીમ વિરપરડા ગામે પહોંચી છે.
ADVERTISEMENT
કૂવાના પાણીનું નિરીક્ષણ કર્યું
જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર બિજયકુમાર દાસની આગેવાની હેઠળ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ કૂવાના પાણીનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે માત્ર કૂવામાં હિલોળા મારતા પાણીની સ્થિતિ જ નહીં, પરંતુ કૂવાની આસપાસના સમગ્ર વિસ્તારનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
ADVERTISEMENT

વૈજ્ઞાનિક રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી
ADVERTISEMENT
વિરપરડા ગામના કૂવામાં પાણી સતત હિલોળા લેતું હોવાની ઘટનાને લઈને વૈજ્ઞાનિક રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાણીમાં આવી રહેલા હિલોળા પાછળનું કારણ શું છે અને ભૂગર્ભીય પરિબળોની કોઈ ભૂમિકા છે કે કેમ તે જાણવા ટીમ દ્વારા સ્થળ પર વિવિધ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી
આ ઉપરાંત, ઘટનાસ્થળ નજીક આવેલા અન્ય એક કૂવાની પણ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી હતી. બંને કૂવાની સ્થિતિ અને આસપાસના ભૂગર્ભીય વિસ્તારની સરખામણી કરીને ઘટનાના સંભવિત કારણો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડૉક્ટરના આપઘાત કેસમાં ખુલાસો, 4 આરોપી 6 મહિના માટે સસ્પેન્ડ, અન્ય 4 ફેકલ્ટીને પણ નોટિસ મળી
હાલ સમગ્ર ઘટનાને લઈને વૈજ્ઞાનિક તપાસ ચાલી રહી છે. GSIની તપાસ પૂર્ણ થયા બાદ કૂવાના પાણીમાં જોવા મળતા અસામાન્ય હિલોળા પાછળનું વાસ્તવિક કારણ સામે આવવાની શક્યતા છે. આ ઘટનાને પગલે વિરપરડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.