બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Vastu Tips If you have kept a money plant at home for money, then know these 5 rules

Vastu Tips / પૈસા માટે ઘરમાં મની પ્લાન્ટ રાખ્યો હોય તો ખાસ જાણી લેજો આ 5 નિયમ, નહીંતર ખાલી થઈ જશે તિજોરી

Megha

Last Updated: 12:15 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Money Plant: ઘરમાં ઘણા છોડનું લગાવવું શુભ માનવામાં આવે છે. તેમાંથી એક મની પ્લાન્ટ છે. પરંતુ મની પ્લાન્ટને લગાવતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ છોડનું ખાસ મહત્વ છે
  • મની પ્લાન્ટ લગાવતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું 
  • મની પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવું ખૂબ જ જરૂરી

Vastu Tips For Money Plant: વાસ્તુ શાસ્ત્રમાં અમુક છોડનું ખાસ મહત્વ છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેમાંથી જ એક છે મની પ્લાન્ટ. આ છોડને ઘરમાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તેને લગાવતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મની પ્લાન્ટ આ એક એવો છોડ છે, જે તમારા ઘરમાં ગ્રીનરી ફેલાવવાની સાથે ઘરની સુંદરતાને પણ વધારશે. એટલું જ નહીં, આ છોડ ઘરના વાસ્તુદોષને પણ દૂર કરે છે. ફેંગશુઈમાં આ છોડને સમૃદ્ધી સૂચક બેલ રૂપે જાણવામાં આવે છે, જેના લીલા પાનમાં અમુક ભાગ અથવા ધાર સફેદ હોય છે. સૌથી સારી વાત એ છે કે આ છોડને લગાવવા માટે કોઈ લાંબી પહોળી જમીનની જરૂર નથી. આ નાના કુંડાની માટીમાં લાગી જાય છે, કોઈ કાંચની બોટલ અથવા જારમાં પાણી ભરીને પણ લગાવી શકાય છે. તેથી આ છોડને લોકો પોતાના ડ્રોઈંગ રૂમની શાન પણ બનાવે છે. મની પ્લાન્ટના છોડનો પૂર્ણ વિકાસ સમૃદ્ધીનો સંકેત આપે છે. 

કઈ દિશામાં લગાવો જોઈએ મની પ્લાન્ટ?
વસ્તુ અનુસાર તમારે દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો જોઈએ. આ દિશામાં લગાવવાથી ધનની પ્રાપ્તિ અને સુખ-સમૃદ્ધિમાં વિકાસ થાય છે, ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ રહે છે. તમને જણાવી દઈએ કે તમારે ઉત્તર પૂર્વ અને પૂર્વ પશ્ચિમમાં ખોટી દિશામાં પણ મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. મની પ્લાન્ટ લગાવવા માટે આ દિશા ભૌતિક શસ્ત્રોમાં નાકામી હોવાનું કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી પતિ-પત્નીના સંબંધો પર પણ ખરાબ અસર પડે છે. આ સાથે જ ધ્યાન રાખો કે તમે જ્યાં મની પ્લાન્ટ લગાવ્યો છે ત્યાં ગંદકી બિલકુલ ન હોવી જોઈએ.

સૂકાયેલ મની પ્લાન્ટ ઘરમાં ન રાખો 
ક્યારેય પણ ઘરમાં સૂકાયેલ મની પ્લાન્ટ રાખવાની ભૂલ ન કરતા. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. મની પ્લાન્ટ તમને પૂરો ફાયદો આપે એટલા માટે સુનિશ્ચિત કરો કે આ પ્લાન્ટની વેલ હંમેશા ઉપરની તરફ રહે. વેલને નીચે તરફ રાખવી અશુભ માનવામાં આવે છે. 

જમીનને સ્પર્શ કરે તે રીતે ન રાખો મની પ્લાન્ટ 
મની પ્લાન્ટ ખૂબ જ ઝડપથી વધે છે. તેની વેલને દોરીથી ઉપરની તરફ બાંધી દો. વાસ્તુ અનુસાર આ પ્રસિદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે મની પ્લાન્ટને જમીન પર સ્પર્શ ન થવા દો. 

મની પ્લાન્ટને સુકાવવા ન દો 
મની પ્લાન્ટનું સુકાઈ જવું દુર્ભાગ્યનું પ્રીતક માનવામાં આવે છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતિમાં ખરાબ અસર પડે છે. માટે સમય રહેતા તેની સારવાર કરતા રહો. પાન જો સુકાઈ જાય તો તેને કાપી નાખો. 

બીજાના ઘરથી ન લો મની પ્લાન્ટ 
ક્યારેય પણ કોઈના ઘરમાંથી મની પ્લાન્ટને તોડીને પોતાના ઘરે ન લાવો. તે ઉપરાંત પોતાના મની પ્લાન્ટને પણ કોઈને ન આપો. વાસ્તુ અનુસાર આમ કરવું ખોટુ માનવામાં આવે છે. જો કોઈ બીજાના ઘરમાં કોઈ મુશ્કેલીઓ હશે તો તે મની પ્લાન્ટ દ્વારા તમારા ઘરમાં આવી જશે.

પોતાના ઘરમાં લાગેલા મની પ્લાન્ટને ક્યારેય પણ બીજાને ગિફ્ટ ન કરો. કેમકે આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી બીજાને ત્યાં જતી રહેશે, જેથી તમને શુભ ફળ નહીં મળે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ