બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 08:42 AM, 17 August 2023
વાસ્તુ શાસ્ત્રમાં ઘણી વાતો એવી જણાવવામાં આવી છે જેનું પાલન કરવામાં આવે તો જીવનની ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. જે લોકો વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલી વાતોના વિપરીત કામ કરે છે. તેમને સ્વાસ્થ્યથી લઈને પૈસા સુધીની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વાસ્તુમાં પર્સમાં મુકવામાં આવતી વસ્તુઓ સાથે જોડાયેલી જાણકારી પણ આપવામાં આવી છે. તેના અનુસાર અમુક એવી વસ્તુઓ છે જેને જો તમે પોતાના પર્સમાં રાખો છો તો તમને ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ. જે વસ્તુ અનુસાર પર્સમાં ન રાખવી જોઈએ.
પર્સમાં ન રાખો આ 5 વસ્તુઓ
ચાવી
ઘણા લોકો પર્સમાં ઘર કે લોકરની ચાવી હંમેશા રાખે છે. જેને વાસ્તુ શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિને પોતાના પર્સમાં ચાવી કે ચાવીઓનો ગુચ્છો ન રાખવો જોઈએ. તેને રાખવાથી પૈસાની કમી થઈ શકે છે અને લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પર્સમાં ક્યારેય પણ ચાવી ન રાખવી જોઈએ.
જુના બિલ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં જુના બીલ ન રાખવા જોઈએ. મોટાભાગે લોકો પોતાના પર્સમાં બિલ સંભાળીને રાખે છે. જોકે વાસ્તુ શાસ્ત્રમાં એવી આદતને અશુભ માનવામાં આવી છે. આ ધન હાની કરી શકે છે અને તમારાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. એવામાં ક્યારેય પણ જુના બિલ પર્સમાં ન રાખો. તેના ઉપરાંત પર્સમાં કોઈ પણ ભગવાનનો ફોટો ન રાખો. એવું કરવાથી તમારા પર દેવું વધી શકે છે.
દવાઓ
મોટાભાગે લોકો પોતાના પર્સમાં અમુક દવાઓ રાખે છે. જેથી જરૂર પડે ત્યારે તે લઈ શકે. જોકે પર્સમાં દવાઓ રાખવાથી નકારાત્મક ઉર્જાઓને પ્રોત્સાહન મળી શકે છે. એવામાં પર્સમાં દવાઓ રાખવાથી બચવું જોઈએ.
ફાટેલા ફોટો અને કાગળો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ફાટેલા ફોટો, ફાટેલા ચિત્ર, ખરાબ કાગળ વગેરે ન રાખો. એવું કહેવામાં આવે છે કે આપણે જે પ્રકારની વસ્તુઓ પોતાના પર્સમાં રાખીએ છીએ. આપણા જીવનમાં એવી જ ઘટનાઓ બને છે. જો તમે પોતાના પર્સમાં ફાટેલી વસ્તુઓ રાખો છો તો જીવનમાં ખૂબ ખરાબ સમય જોવા મળી શકે છે.
મૃતકની તસવીરો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં મૃતકોની તસવીર ન રાખવી જોઈએ. તેને પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી વ્યક્તિને જીવનમાં નકારાત્મકતા આવે છે. સાથે જ આર્થિક સંકટ પણ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog