બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Alkapuri Govardhannathji Haveli Mukhiya son missing for 6 days

વડોદરા / 'તારી મમ્મી ખાતી નથી, પીતી નથી...', છેલ્લાં 6 દિવસથી ગુમ છે વડોદરાના અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાનો પુત્ર

Vidhata

Last Updated: 02:47 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલીના મુખિયાનો 15 વર્ષીય પુત્ર 6 દિવસથી ગુમ છે. ત્યારે આટલા દિવસથી દીકરાની કોઈ ખબર ન મળતા આખો પરિવાર ચિંતિત છે.

વડોદરા: શહેરના અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાનો પુત્ર 6 દિવસથી ગુમ છે. પોલીસે 15 વર્ષીય સગીરને શોધવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસ ગુમ સગીરને શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે, પણ હજુ સુધી 15 વર્ષીય સગીરની કોઈ ભાલ મળી રહી નથી. 

ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયા જગદીશ જોશીનો 15 વર્ષનો પુત્ર જય જોશી અચાનક ગાયબ થઈ જતાં પરિવાર ચિંતિત બન્યો છે. દીકરો ગુમ થઈ જતા આખા પરિવારની હાલત કફોડી છે. દીકરો ગુમ થઈ જતા માતાપિતાનાં આંસુ સુકાતા નથી, તો એની બહેન પણ ભાઈના પાછા આવવાની રાહ જોઈ રહી છે. એક તરફ પોલીસ બાળકોને શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે ત્યારે બીજી તરફ માતાએ અન્નજળનો ત્યાગ કરી દીધો છે. 

15 વર્ષીય સગીર જય જોશીના લાપતા થતા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પરિવારના જણાવ્યા પ્રમાણે, સગીરે વૈરાગ્યની વાત કરી હતી, જેથી પરિવારને આશંકા છે કે એ ભક્તિના માર્ગે વળી ગયો છે. જેથી પોલીસે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરને પણ આ અંગે જાણ કરી છે. આ સમગ્ર કેસમાં પિતાએ પોલીસને જણાવ્યું કે એમના દીકરાએ વૈરાગ્યની વાત કરી હતી, જેને લઈને પિતાએ તેને ઘર ન છોડવા માટે સમજાવ્યો હતો. પિતાએ સમજાવ્યા છતાં ઘર છોડી દેતાં 15 વર્ષના પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી છે. લાપતા સગીરને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. લાપતા સગીરના પરિવારને લાગે છે કે એ કોઈ આશ્રમ કે કોઈ ધાર્મિક સ્થળે જઈને ભક્તિ કરતો હશે. 

વધુ વાંચો: હરણી લેક દુર્ઘટનાનો મામલો, ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર વધુ એક અરજી કરી

લાપતા સગીર જય જોશીના પિતા જગદીશ જોશીએ કહ્યું કે એમને લાગે છે કે એમનો દીકરો આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે અને એ કોઈ આશ્રમ કે કોઈ ધાર્મિક સ્થળે જઈને ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે. માતાએ પણ અન્નજળનો ત્યાગ કરી દીધો હોવાને કારણે તેની તબિયત પણ લથડી રહી છે. પિતાએ રડતા રડતા કહ્યું કે દીકરા ઘરે પાછો આવી જા. કોઈ તને કઈ જ નહીં કહે. તને જે કરવું હોય એ કરવા દઈશું. તારી મમ્મી ખાતી નથી, પીતી નથી, એની તબિયત બગડી રહી છે. તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ