બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ? તો વારંવાર ATMમાંથી રૂપિયા ન ઉપાડતા, જાણો કેમ
Last Updated: 12:11 PM, 2 December 2025
Bank Account: 1 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવતા એસબીઆઇએ ATM વ્યવહારો માટે મફત મર્યાદા અને ફી અંગે નવા નિયમો લાગુ કર્યા છે. આ પછી બધા ગ્રાહકો પર એક જેવી ફ્રી લિમિટ લાગુપડે છે.
ADVERTISEMENT
તમને વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો તમારે થોડી વધુ કાળજી લેવાની જરૂર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એટીએમ ટ્રાજેક્સન અંગેના નિયમોમાં ફેરફાર કર્યા છે. ફ્રી ટ્રાજેક્શન મર્યાદા પુરી થતા તમારા વોલેટ પર સીધી અસર પડશે. ફેબ્રુઆરી અને મે 2025 માં લાગુ કરાયેલા નિયમોને કારણે એટીએમનો ઉપયોગ પહેલા કરતા વધુ મોંઘો થઈ ગયો છે. ચાલો આજે જાણીએ કે એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડતા પહેલા તમારે શા માટે સાવધ રહેવું જોઈએ અને ચાર્જ કેટલો વધ્યો છે.

ADVERTISEMENT
1 ફેબ્રુઆરી 2025 થી એસબીઆઇએ ATM વ્યવહારો માટે ફ્રી લિમિટ અને ફી અંગે નવા નિયમો લાગુ કર્યા છે. આ પછી સમાન મફત મર્યાદા બધા ગ્રાહકો માટે લાગુ પડે છે. આ નવા નિયમો સાથે દરેક ગ્રાહકને હવે દર મહિને એસબીઆઇ એટીએમ પર પાંચ અને અન્ય બેંકના એટીએમ પર 10 ફ્રી ટ્રાંજેક્સન મળે છે. આનો અર્થ એ થાય કે દર મહિને કુલ 15 ફ્રી ટ્રાજેકસન મળે છે.
જો ગ્રાહકો તેમના ખાતામાં સરેરાશ 1 લાખથી વધુનું બિલ રાખે છે, તો તેમને બંને પ્રકારના એટીએમ પર અનલિમિટેડ ફ્રી ટ્રાજેકસન મળે છે. જો તમે ફ્રી ટ્રાજેક્શન લિમિટ કરતાં વધુ પૈસા ઉપાડો છો, તો તમારે એસબીઆઇ એટીએમ પર રૂપિયા 15 + GST અને અન્ય બેંકના એટીએમ પર 21 રૂપિયા + GST ચૂકવવા પડશે.
ADVERTISEMENT

આ સીવાય એસબીઆઇ એટીએમ પર બેંક બેલેન્સ ચેક અને મિની સ્ટેટમેન્ટ માટે પણ કોઈ ફી લાગતી નથી. જો કે આ સેવાઓ માટે અન્ય બેંકના એટીએમ પર 10 રૂપિયા + GST વસૂલવામાં આવે છે. વધુમાં જો ખાતામાં અપૂરતા ભંડોળને કારણે એટીએમ વ્યવહાર નિષ્ફળ જાય છે, તો એસબીઆઇ 20 રૂપિયા + GST દંડ વસૂલ કરે છે. આ નિયમ પહેલાથી જ અમલમાં છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 5 જ વર્ષમાં માલામાલ બનાવી દેશે પોસ્ટ ઓફિસની આ ધાંસૂ સ્કીમ, રિટર્ન પણ લાખોમાં!
ADVERTISEMENT
આરબીઆઇ એ 1 મે 2025 થી એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. આ મફત મર્યાદા પછી ગ્રાહકો પાસેથી પ્રતિ વ્યવહાર 23 રૂપિયા વસૂલવામાં આવે છે. તેથી ગ્રાહકોને તેમની ફ્રી લિમિટનું ધ્યાન રાખવાની અને જરૂરી ન હોય ત્યાં સુધી વારંવાર એટીએમનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. એસબીઆઇ અનુસાર આ ફેરફારો ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.