બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / Uses of Alovera and its leaves also
ગામની ખરડાયેલી જમીનમાં ઉગનારુ કે પછી ઘરની અગાશી પર લટકાવવામાં આવનારું અલોવેરા ત્વચાની સુંદરતાને કાયમ રાખવા માટે ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. અલોવેરાને કુંવારપાઠુંના નામે પણ ઓળખવામાં આવે છે. તેના પાનમાં ભીનાશનો સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. તેના રસને ચેહરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. ઘણીવાર ત્વચા દાઝી જવા પર પણ અલોવેરાનો રસ લગાડવામાં આવે છે.
ADVERTISEMENT
.jpg)
- ત્વચાની કાળાશ દૂર કરવા માટે અલોવેરાના પાનનો રસ અને નારિયેળ તેલ મિક્સ કરો. તેને કાળાશ પર લગાવીને થોડીવાર બાદ ધોઈ લો. ઉપાય કારગર સાબિત થશે.
- પેટમાં કબજીયાતની સમસ્યા રહેતી હોય તો રોજ સવારે નયણાંકોટે એલોવેરાના પાનનું સેવન કરવાથી રાહત મળે છે.
- ગુલાબજળમાં અલોવેરા જેલ મિક્સ કરીને ત્વચા પર લગાડવાથી ત્વચાની કોમળતા કાયમ રહે છે.
- અલોવેરાના પલ્પમાં મુલતાની માટી કે ચંદનનો પાવડર મિક્સ કરીને લગાડવાથી ખીલ, ફોલ્લા મટી જાય છે.
- પોલીસોકેરાઇડ્સ અથવા ફાઇબ્રોમીઆલ્ગીઆ જેવા ક્રોનિક રોગો સામે અલોવેરા ખુબ જ ફાયદાકારક છે.
- અલોવેરા સાંધાના સ્નાયુઓને મજબૂત કરે છે, જેથી નબળા અથવા ઘસાયેલા સાંધામાં પીડા અને બળતરા ઘટે.
- જીવ-જંતુના કરડવા સામે, ફોલ્લીઓ, ચાંદા, અર્ટિચેરીયા, ફંગલ અને વાયરલ ચેપ, યોનિમાર્ગ ચેપ, નેત્રસ્તર દાહ અને એલર્જીક પ્રતિક્રિયાઓ માટે મદદરૂપ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.