બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Hiren
Last Updated: 12:06 AM, 25 March 2022
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ એલાન કર્યું છે કે, અમે રાજ્યમા સમાન નાગરિકા સંહિતા એટલે કે યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય મંત્રીમંડળે આ નિર્ણયને સર્વસંમતિથી પોતાની સહમતિ નોંધાવી છે અને હવે બહુ જલ્દીથી વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવશે અને રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ઉત્તરાખંડ આ કોડ લાવનારુ દેશનું પ્રથમ રાજ્ય હશે.
आज नई सरकार का गठन होने के बाद मंत्रिमंडल की पहली बैठक हुई। 12 फरवरी 2022 को हमने जनता के समक्ष संकल्प लिया था कि हमारी सरकार का गठन होने पर हम यूनिफॉर्म सिविल कोड लेकर आएंगे। आज हमने तय किया है कि हम इसे जल्द ही लागू करेंगे: मुख्यमंत्री श्री @pushkardhami जी। pic.twitter.com/RvPWbllDlU
— Office Of Pushkar Singh Dhami (@OfficeofDhami) March 24, 2022
શપથ લેતા પહેલા જ મુખ્યમંત્રીએ કર્યો હતો વાયદો
પુષ્કરસિંહ ધામીએ બુધવારે જ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા જ આ એલાન કરી દીધું હતું કે તેઓ સત્તા સંભાળતા જ રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લાગૂ કરીશું. પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે મારા મુખ્યમંત્રી બનતા જ તેઓ તમામ વચનો પૂર્ણ કરવામાં આવશે, જે ચૂંટણી દરમિયાન ભાજપે કર્યા હતા, તેમાં યૂનિફોર્મ સિવિલ કોર્ડ પણ સામેલ છે.
કોમન સિવિલ કોડ(યુનિફોર્મ સિવિલ કોડ) શું છે?
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે. સમાન નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિ-વારસો અને વહેંચણી માટે તમામ ધર્મો માટે એક જ કાનૂન લાગુ કરવાની વાત કરવામાં આવી છે.
યૂનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા એટલે એવો કાયદો જે ધર્મનિરપેક્ષ હોય અને તમામ ધર્મના લોકો પર એકસમાન રીતે લાગુ થાય. બીજા શબ્દોમાં જુદાં જુદાં ધર્મો માટે જુદાં જુદાં સિવિલ લૉ ન હોવા એ યૂનિફોર્મ સિવિલ કોડની મૂળ ભાવના છે. ટૂંકમાં ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઇએ, પછી ભલે તે ગમે તે ધર્મનો હોય. સમાન નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીના મામલાઓમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે.
જુદાં જુદાં ધર્મોના અલગ પર્સનલ લૉ
હાલ દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયના પર્સનલ લૉ છે. જ્યારે હિન્દુ સિવિલ લૉ અંતર્ગત હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો આવે છે. બંધારણના અનુચ્છેદ ૪૪માં સમાન નાગરિક સંહિતાની વાત આવે છે જે અનુસાર આ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રની છે પરંતુ આજ દિન સુધી આ કાયદો દેશમાં લાગુ થઇ શક્યો નથી. વખતોવખત આ કાયદો લાગુ કરવાની ચર્ચા જરૂર થાય છે પરંતુ રાજકીય વાદવિવાદ બાદ આ મુદ્દો કોરાણે મૂકી દેવામાં આવે છે. ભાજપ અને આરએસએસ પહેલેથી કૉમન સિવિલ કોડની તરફેણ કરતા આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime