બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / try these 5 simple easy vastu tips for happy married life get freshness and strong bond between couple

વાસ્તુ ટિપ્સ / મેરેજ લાઇફ થઇ ગઇ છે કંટાળાજનક? તો ચિંતા શું કામની? બસ અપનાવો આ વાસ્તુ ટિપ્સ, પછી જુઓ કમાલ

Malay

Last Updated: 08:50 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Couple: જો વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને ઘરની બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે તો દાંપત્ય જીવનમાં મજબૂતી અને મધુરતા બની રહે છે. ચાલો જાણીએ કઇ વાસ્તુ ટિપ્સ અપનાવીને દામ્પત્ય જીવનને સુખી બનાવી શકાય.

 

  • વાસ્તુ ટિપ્સ લગ્નજીવનને બનાવશે સુખી 
  • બેડરૂમમાં ભગવાનની તસવીર ન હોવી જોઈએ
  • બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ

પતિ-પત્નીના સંબંધો બંનેના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. કોઈપણ સંબંધનો પાયો પ્રેમ જ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત અથાક પ્રયત્નો પછી પણ દાંપત્ય જીવનમાં વિખવાદ આવવા લાગે છે અને પતિ-પત્ની વચ્ચે પરસ્પર ઝઘડાઓ વધી જાય છે. ઘણી વખત આ બધી બાબતોને કારણે કેટલાક લોકોની માનસિક સ્થિતિ પણ બગડવા લાગે છે. જેના કારણે સંબંધોમાં વધુ અંતર આવવા લાગે છે. ઘણી વખત વિવાહિત જીવનમાં આવી રહેલી આ સમસ્યાઓનું કારણ ઘરનો વાસ્તુ દોષ પણ હોય છે. જો વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને ઘરની બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે તો દાંપત્ય જીવનમાં મજબૂતી અને મધુરતા બની રહે છે. વાસ્તુ શાસ્ત્રનું માનવું છે કે વિવાહિત જીવનમાં મધુરતા લાવવા માટે પતિ-પત્નીના બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવી જોઈએ. 

બેડ યોગ્ય દિશામાં રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં બેડ પર સાચી દિશામાં હોવો ખૂબ જ જરૂરી છે. જો બેડરૂમમાં બેડ યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે અને પતિ-પત્નીના જીવનમાંથી સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે. આવું થવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોવી જોઈએ.

બેડરૂમમાં રહેલા પલંગ વિષે જાણી લો આ વાત નહીતર થશે પસ્તાવો | Vastu tips for  bedroom
ફાઈલ ફોટો

બેડરૂમમાં ભગવાનની તસવીરો
બેડરૂમની દિવાલો પર દેવી-દેવતાઓની તસવીરો લગાવવી જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી. ઘણા લોકો પોતાના બેડરૂમમાં ભગવાનની તસવીરોને લગાવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં કલહની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. જો તમારે બેડરૂમમાં ભગવાનની તસવીર લગાવવી હોય તો તમે રાધા-કૃષ્ણની તસવીર લગાવી શકો છો.

બેડરૂમમાં અરીસો
વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે બેડરૂમમાં અરીસો લગાવવો સુખી દાંપત્યજીવનમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘરના બેડરૂમમાં અરીસો લગાવવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. જો બેડરૂમમાં અરીસો લગાવ્યો છે. તો ત્યાં રહેતા લોકોની વચ્ચે હંમેશા અણબનાવ રહે છે. જો બેડરૂમમાં અરીસો લગાવવો ખૂબ જ જરૂરી હોય તો રાત્રે સૂતી વખતે તેને કપડાથી ઢાંકી દેવો જોઈએ. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે, જો પતિ-પત્ની રાત્રે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ તો માન-સન્માનમાં ઘટાડો થાય છે અને નાની-નાની બાબતો પર ઝઘડા થાય છે.

આ દિશામાં અરીસો હશે તો ઘરમાં ક્યારેય નહી આવે સુખ-શાંતિ, જાણો ઉપાય | vastu  tips for happiness and money
ફાઈલ ફોટો

દક્ષિણ-પૂર્વ ખૂણામાં કોઈ ભારે વસ્તુ ન રાખવી
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર ઘરની દક્ષિણ-પૂર્વ દિશાને આગ્રેય કોણ કહેવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં ક્યારેય કોઈ ભારે વસ્તુ ન રાખવી જોઈએ. જેના કારણે ઘરમાં નાની-નાની વાત પર ઝઘડા વધી જાય છે અને પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ