બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / try these 5 simple easy vastu tips for happy married life get freshness and strong bond between couple
Malay
Last Updated: 08:50 AM, 1 July 2023
પતિ-પત્નીના સંબંધો બંનેના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. કોઈપણ સંબંધનો પાયો પ્રેમ જ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત અથાક પ્રયત્નો પછી પણ દાંપત્ય જીવનમાં વિખવાદ આવવા લાગે છે અને પતિ-પત્ની વચ્ચે પરસ્પર ઝઘડાઓ વધી જાય છે. ઘણી વખત આ બધી બાબતોને કારણે કેટલાક લોકોની માનસિક સ્થિતિ પણ બગડવા લાગે છે. જેના કારણે સંબંધોમાં વધુ અંતર આવવા લાગે છે. ઘણી વખત વિવાહિત જીવનમાં આવી રહેલી આ સમસ્યાઓનું કારણ ઘરનો વાસ્તુ દોષ પણ હોય છે. જો વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને ઘરની બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખવામાં આવે તો દાંપત્ય જીવનમાં મજબૂતી અને મધુરતા બની રહે છે. વાસ્તુ શાસ્ત્રનું માનવું છે કે વિવાહિત જીવનમાં મધુરતા લાવવા માટે પતિ-પત્નીના બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવી જોઈએ.
બેડ યોગ્ય દિશામાં રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં બેડ પર સાચી દિશામાં હોવો ખૂબ જ જરૂરી છે. જો બેડરૂમમાં બેડ યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે અને પતિ-પત્નીના જીવનમાંથી સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે. આવું થવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોવી જોઈએ.
બેડરૂમમાં ભગવાનની તસવીરો
બેડરૂમની દિવાલો પર દેવી-દેવતાઓની તસવીરો લગાવવી જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી. ઘણા લોકો પોતાના બેડરૂમમાં ભગવાનની તસવીરોને લગાવે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં કલહની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. જો તમારે બેડરૂમમાં ભગવાનની તસવીર લગાવવી હોય તો તમે રાધા-કૃષ્ણની તસવીર લગાવી શકો છો.
બેડરૂમમાં અરીસો
વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે બેડરૂમમાં અરીસો લગાવવો સુખી દાંપત્યજીવનમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘરના બેડરૂમમાં અરીસો લગાવવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. જો બેડરૂમમાં અરીસો લગાવ્યો છે. તો ત્યાં રહેતા લોકોની વચ્ચે હંમેશા અણબનાવ રહે છે. જો બેડરૂમમાં અરીસો લગાવવો ખૂબ જ જરૂરી હોય તો રાત્રે સૂતી વખતે તેને કપડાથી ઢાંકી દેવો જોઈએ. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે, જો પતિ-પત્ની રાત્રે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ તો માન-સન્માનમાં ઘટાડો થાય છે અને નાની-નાની બાબતો પર ઝઘડા થાય છે.
દક્ષિણ-પૂર્વ ખૂણામાં કોઈ ભારે વસ્તુ ન રાખવી
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર ઘરની દક્ષિણ-પૂર્વ દિશાને આગ્રેય કોણ કહેવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં ક્યારેય કોઈ ભારે વસ્તુ ન રાખવી જોઈએ. જેના કારણે ઘરમાં નાની-નાની વાત પર ઝઘડા વધી જાય છે અને પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh