બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અપડાઉન કરનારા અમદાવાદીઓ ખાસ વાંચે, આટલા દિવસ સુધી બંધ રહેશે આ અંડરપાસ

જાણી લો / અપડાઉન કરનારા અમદાવાદીઓ ખાસ વાંચે, આટલા દિવસ સુધી બંધ રહેશે આ અંડરપાસ

Published By: Vishal Dave

Last Updated: 02:46 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રાગડ અંડરપાસનું રિપેરિંગ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે, જ્યારે બીજા તબક્કામાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે.

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલો ત્રાગડ અંડરપાસ વરસાદના કારણે ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. રસ્તા પર અનેક ખાડાઓ પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઔડા (AUDA) એ અંડરપાસની મરામત કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. કામ 5 અથવા 7 નવેમ્બરથી શરૂ થઈને આશરે 40 દિવસ સુધી ચાલશે.

આ દરમિયાન, અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન જાહેર કર્યો છે, જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે.

બે તબક્કામાં રિપેરિંગ કામ

ત્રાગડ અંડરપાસનું રિપેરિંગ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે, જ્યારે બીજા તબક્કામાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે.

આ નિર્ણયથી ખાસ કરીને ઝુંડાલ અને વૈષ્ણોદેવી વિસ્તાર વચ્ચેના દૈનિક મુસાફરો પર સીધી અસર પડશે.

18થી 20 કલાક ચાલશે કામગીરી

ઔડાએ રિપેરિંગ ઝડપથી પૂરું થાય તે માટે ત્રણ ટીમો રચી છે, જે દરરોજ 18થી 20 કલાક સુધી કામ કરશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, અગાઉની જેમ ડામર રોડની જગ્યાએ હવે RCC (સિમેન્ટ કોન્ક્રીટ) થી નવો રસ્તો બનાવવામાં આવશે, જેથી સપાટી વધુ ટકાઉ અને મજબૂત બને.

ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટ

ટ્રાફિક વિભાગ મુજબ:

પ્રથમ તબક્કા દરમિયાન, ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતા વાહનોને ઝુંડાલ બ્રિજ હેઠળથી અડાલજ સર્કલ – મહારાજા હોટલ માર્ગે વૈષ્ણોદેવી સર્કલ પહોંચવું પડશે.

બીજા તબક્કા દરમિયાન, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતાં વાહનોને વૈષ્ણોદેવી સર્કલ – અડાલજ ત્રિમંદિર – અડાલજ સર્કલ મારફતે ઝુંડાલ તરફ આવવું પડશે.

આ વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરનારા મુસાફરોને લગભગ 11 કિલોમીટરનો વધારાનો પ્રવાસ કરવો પડશે.

આ પણ વાંચોઃ મહેસાણામાં પ્રેમીએ પરણેલી પ્રેમિકા પર નજર રાખવા ઝાડીઓમાં લગાડ્યાં કેમેરા, ઝડપાયું હેરાનીભર્યું

ટ્રાફિક વિભાગની અપીલ

ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ જાહેર કરાયેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરે, જરૂરી હોય ત્યાં વધારાનો સમય ધ્યાનમાં રાખે અને શક્ય હોય તો પીક અવર્સમાં મુસાફરી ટાળે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AUDA Repair Work Ahmedabad Traffic Tragad Underpass

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ