બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ચોમાસામાં કેટલા ટેમ્પરેટર પર AC ચલાવવું યોગ્ય? આ રીતે બચો ભારે ભરખમ બિલથી
Last Updated: 09:07 PM, 28 July 2026
વરસાદની સીઝનમાં ઉમસ અને ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો રાત્રે આખી રાત એસી ચલાવી રાખે છે. પરંતુ એક તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે એસી વાપરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આથી મોનસૂનમાં એસી ચલાવતા પહેલા તેનું તાપમાન અને મોડ બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી તમારી તબિયત સારી રહેશે અને વીજળીનું બિલ પણ કંટ્રોલમાં રહેશે.
ADVERTISEMENT
એક્સપર્ટ્સ અનુસાર, એસીને ક્યારેય 24 ડિગ્રીથી નીચે ન રાખવો જોઈએ. ગરમીમાં ઝડપથી રૂમ ઠંડો કરવા માટે લોકો 16-18 ડિગ્રી પર ચલાવે છે, પરંતુ તે માત્ર થોડા સમય માટે જ સારું લાગે છે. ડિગ્રી નીચે કરવાથી વીજળીનો વપરાશ વધે છે. મોનસૂનમાં બહારની ભેજને ધ્યાનમાં રાખીને એસીનું તાપમાન 26 ડિગ્રીથી નીચે ન રાખવું જોઈએ.
જો તમે રાત્રે એસી ચલાવતા હો તો તેને અમુક કલાક બાદ બંધ કરી દેવું જોઈએ. રિમોટમાં આપેલા ટાઈમરનો ઉપયોગ કરીને તમે એવી સીસ્ટમ કરી શકો છો. જેમાં તમે સૂઈ જાઓ પછી એસી ઓટોમેટીક બંધ થઈ જાય.
ADVERTISEMENT
મોડર્ન એસીમાં અલગ-અલગ મોડ આવેલા હોય છે. જેમાં મોનસૂનમાં ઓટો મોડમાં એસી ચલાવવું સૌથી વધુ ફાયદાકારક મનાય છે. આ મોડમાં એસી ઓટોમેટીક જ વાતાવરણ અનુસાર કૂલિંગ એડજસ્ટ કરે છે. જ્યારે રૂમ ઠંડો થઈ જાય છે ત્યારે કોમ્પ્રેસર ઓટોમેટીક બંધ થઈ જાય છે. જેથી વીજળી બચે છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
મોનસૂનમાં એસીની સાફસફાઈનું વિશેષ ધ્યાન રાખો. જેમાં ફિલ્ટરને નિયમિત સાફ કરતા રહો જેથી ધૂળ-માટી જમા ન થાય અને તમને સ્વચ્છ અને તાજી હવા મળે. કૂલિંગ કોઇલ પણ સાફ રાખો, જેથી કોમ્પ્રેસર પર વધારાનો ભાર ન પડે અને વીજળી પણ બચે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.